<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Good Morning Online &#187; વિચારધારા આર્કાઇવ્ઝ</title>
	<atom:link href="http://saurabh-shah.com/category/vichardharaarchives/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://saurabh-shah.com</link>
	<description>The Official Web Presence of Writer-Journalist Saurabh Shah</description>
	<lastBuildDate>Thu, 09 Sep 2010 18:35:52 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.0.1</generator>
		<item>
		<title>ખુશવંત સિંહનું જાહેર એલાન</title>
		<link>http://saurabh-shah.com/2009/07/06/khushwant/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/06/khushwant/#comments</comments>
		<pubDate>Mon, 06 Jul 2009 16:32:13 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1540</guid>
		<description><![CDATA[(આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો સાતમો અને છેલ્લો લેખ છે. આગામી દિવસોમાં ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ એક નવી લેખમાળા પોસ્ટ કરવાનો વિચાર છે:’સેક્યુલરવાદીઓ શા માટે સેકુલરવાદી હોય છે’.મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ની નવી એડિશનમાં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ખુશવંત સિંહે એ વખતે જાહેર એલાન કર્યું હતું કે અડવાણી વગેરના મોઢાં કાળાં કરી એમને ભરબજારે ફેરવવા જોઈએ ગાડરિયા પ્રવાહની વાત કરી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બનેલી ઘટના અંગે પ્રતિભાવ આપતી વખતે અંગ્રેજી અખબારો ઘેંટાના ટોળાની જેમ ઊંધું ઘાલીને એકની એક વાત કેવી રીતે દોહરાવતા રહ્યાં એ વિશે ગઈ કાલે વાત કરી. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ: રવિવાર, ૨૭ ડિસેમ્બર ૧૯૯૨ની રંગીન પૂર્તિમાં મદ્રાસ ‘ધ હિન્દુ’ (નામથી છેતરાવા જેવું નથી. સેક્યુલર દૈનિક હિન્દુએ હિન્દુત્વની વિચારધારાને ખૂબ વખોડી છે.) દૈનિકે વીતેલા વર્ષની ઘટનાઓ વિશેના એક સ્ટાન્ડર્ડ વાર્ષિક સરવૈયામાં લેખનું મથાળું બાંધ્યું: એનસ હૉરિબિલિસ અર્થાત્ એક ભયાનક વર્ષ. એ રવિવારની આસપાસના દિવસ દરમ્યાન બીજાં કુલ છ રાસ્ટ્રીય અંગ્રેજી દાઇનિકોએ વીતેલા વર્ષનું સરવૈયું કાઢતાં તંત્રીલેખ, વિશેષ લેખ કે પ્રાસંગિક લેખના વિભાગનું મથાળું (અયોધ્યાના સંદર્ભમાં ) બાંધ્યું હતું: એનસ હૉરિબિલિસ. આ રૂઢિપ્રયોગ એક વાર ઈંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથે વાપર્યો ત્યારથી અખબારોની જીભે ચઢી ગયો. લેટિન ભાષાનો મૂળ શબ્દપ્રયોગ છે: એનસ મિરાબિલિસ અર્થાત્ [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/06/khushwant/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી</title>
		<link>http://saurabh-shah.com/2009/07/04/editor-reader/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/04/editor-reader/#comments</comments>
		<pubDate>Sat, 04 Jul 2009 16:47:21 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1466</guid>
		<description><![CDATA[(આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો છઠ્ઠો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાનો બાકીનો એક લેખ ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ‘કોઈ જાતની સંપાદકીય જવાબદારી વિના રાગદ્વેષયુક્ત તંત્રીલેખો અને પૂર્વગ્રહપીડિત લેખો છાપ છાપ કરીને તમારા દૈનિક ‘પાયોનિયર’ દ્વારા પત્રકારત્વની વેશ્યાગીરી (આ જ શબ્દ અંગ્રેજીમાં હતો. પ્રોસ્ટિટ્યુશન) થઈ રહી છે, જેને કારણે કંઈ કેટલાય ગોડબોલેએ તમારું છાપું વાંચવાનું બંધ કરી દેશે. એટલે સારું છે કે અંગ્રેજી વર્તમાનપત્ર વાંચનારા લોકોથી જ આ દેશના સંસદસભ્યો કે વિધાનસભ્યો ચૂંટાતા નથી. ભારતની પ્રજા, મૂક હિન્દુ બહુમતી ધરાવતી પ્રજા, જરૂર પોતાનો અવાજ ઉઠાવશે અને તમને મહેતાઓને, બોઝોને, નકવીઓને અને ખાસ કરીને તો પેલી રાધિકા રામશેષનને બરાબરનો પાઠ ભણાવશે.’ ૩જી જાન્યુઆરી ૧૯૯૩ના રોજ નવી દિલ્હીથી તે વખતે વિનોદ મહેતાના તંત્રીપદે પ્રગટ થતા ‘પાયોનિયર’ દૈનિકમાં આઠમા પાને ‘વંદે માતરમ્’ ના ઉપનામે એક વાચકનો પત્ર છપાયો હતો. આ પત્રમાં ગોડબોલે નામના એક વાચકનો ઉલ્લેખ છે તે કોણ? ૨૫ ડિસેમ્બર ૧૯૯૨ના ‘પાયોનિયર’માં ‘બાયસ્ડ, વિશ્યસ અને સ્યુડો’ અર્થાત્ એકતરફી, ઝેરીલું અને દંભી એવા મથાળા હેઠળ એસ. એ. ગોડબોલે નામના એક વાચકનો પત્ર બૉક્સ આઇટમ બનાવીને તંત્રીએ છાપ્યો હતો. પત્રમાં મરાઠીભાષી શ્રીયુત ગોડબોલેએ ગળ્યું ગળ્યું બોલવાને [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/04/editor-reader/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>બે અજાણી છોકરીનો ‘સેક્યુલર-રાષ્ટ્રીય’ અવાજ</title>
		<link>http://saurabh-shah.com/2009/07/03/be-ajaani-chhokari/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/03/be-ajaani-chhokari/#comments</comments>
		<pubDate>Fri, 03 Jul 2009 16:21:20 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1440</guid>
		<description><![CDATA[(આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પાંચમો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના બાકીના બે લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના પહેલા પાને તા. ૧૩-૧૨-૧૯૯૨ના રોજ વર્ષા વેંકટેશ અને પૂનમ નારંગ નામની છોકરીઓએ લખેલો પત્ર છપાયો. તંત્રી સી.આર. ઈરાનીને ખુશખુશાલ કરી દેનારા આ પત્રમાં લાલ કૃષ્ણ આડવાણીને સંબોધીને કહેવાયું હતું :‘ ડિયર મિસ્ટર અડવાણી, તમારા આવેશમય હિન્દુત્વે રાષ્ટ્રના રહ્યા સહ્યા હિન્દુઈઝમના છેલ્લા અવશેષો પણ ધોઈ કાઢ્યા છે… તમારે કારણે આજે કોઈ હિન્દુ શરમનો માર્યો માથું ઊંચું કરી શકે એમ નથી …. ચારસો વર્ષ જુનું ઐતિહાસિક સ્મારક તોડી પાડીને તમને શું મળ્યું ?… એ રામની જન્મભૂમિ છે તેથી શું થઈ ગયું ? … ત્યાં હજારો વર્ષ પહેલાં (એમ જ ) મંદિર હતું તેથી શું થઈ ગયું? ત્યાં રામની મૂર્તિ તો હતી જ ને ? અને એની પૂજા પણ થતી હતી જ ને? …. મિસ્ટર અડવાણી, તમારું હિન્દુત્વ ગંદા પોલિટિક્સમાંથી ગંધાય છે… વિદ્યાર્થીજગત તમને ક્યારેય માફ નહીં કરે. અમને ડેમોક્રેટિક સેક્યુલર, સોશિયલિસ્ટ રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ છે. યસ સર. સેક્યુલર. સેક્યુલરિઝમ અમારા અસ્તિત્વનો એક ભાગ છે… તમારી આજને ખાતર તમે અમારી આવતીકાલ રોળી [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/03/be-ajaani-chhokari/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?</title>
		<link>http://saurabh-shah.com/2009/07/02/bjp-na-khabha-par-nu-bakaru/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/02/bjp-na-khabha-par-nu-bakaru/#comments</comments>
		<pubDate>Thu, 02 Jul 2009 17:26:56 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1369</guid>
		<description><![CDATA[ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે એવું ઠસાવવાના અંગ્રેજી દૈનિકોએ ભરપૂર પ્રયત્નો કર્યા લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે. (આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ચોથો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના બાકીના ૩ લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ગાડરિયો પ્રવાહ કે લોલેલોલ કરવી જેવા રૂઢિપ્રયોગો ઓછી ભણેલી કે અર્ધ સુધરેલી પ્રજાને ઉતારી પાડવા વપરાતા આવ્યા છે. ગાડરિયા પ્રવાહ પરની મૉનોપોલી હકીકતમાં કોની છે એનો ખ્યાલ ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બર પછી આવ્યો. કોની? અંગ્રેજી પ્રેસની. રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોએ બાબરીધ્વંસ જેવી ઘટના માટે શા માટે એકસરખા વિચારો વ્યક્ત કર્યા અને દરેક અંગ્રેજી અખબારના લગભગ દરેક કટારલેખક, લેખલેખક કે અગ્રલેખલેખક શા માટે એકના એક મુદ્દાઓ વિશે એકની એક દલીલોનું પુનરાવર્તન કરતા હશે એવો પ્રશ્ન જાગે ત્યારે એમની ૧૩ ડિસેમ્બર ’૯૨ની આવૃત્તિમાં, બાબરીધ્વંસના બરાબર એક સપ્તાહ પછી છપાયેલા, તંત્રી દિલીપ પાડગાંવકરના આ શબ્દોમાંથી અંગ્રેજી પ્રેસની માનસિકતા શોધવી સહેલી પડશે. ‘વડાપ્રધાન પછી દેશનો સૌથી મોટો, મહત્વનો અને શક્તિશાળી માણસ ટાઈમ્સનો તંત્રી છે’ (સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઑફ ધ કન્ટ્રી- આ શબ્દો પાડ્ગાંવકરના પોતાના જ છે! એક ઇન્ટર્વ્યુમાં એ આવું હાસ્યાસ્પદ વિધાન કરી બેઠેલા!) [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/02/bjp-na-khabha-par-nu-bakaru/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતા</title>
		<link>http://saurabh-shah.com/2009/06/30/angrji-akhabari-aalamani-vishvasaniyata/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/30/angrji-akhabari-aalamani-vishvasaniyata/#comments</comments>
		<pubDate>Tue, 30 Jun 2009 15:52:24 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1291</guid>
		<description><![CDATA[’૯૨ની અયોધ્યા ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું (આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ત્રીજો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ડૅવિડ સાર્નોફ નામના એક બ્રિટિશ પ્રકાશક તથા અખબારમાલિકની એક ઉક્તિ ખૂબ જાણીતી છે : અખબારના માલિકોનું કામ પ્લમ્બરની જેમ પાઈપલાઈન ફીટ કરી આપવાનું છે. આ પાઈપમાંથી શું વહેશે તે નક્કી કરવાની જવાબદારી તંત્રીઓની છે. ૬ ડિસેમ્બર ’૯૨ના રોજ અયોધ્યામાં સર્જાયેલી ઘટના પછી દેશભરના તંત્રીઓ પાસે બે વિકલ્પો હતા. એક, ખાળમાં વહી જનારું દૂષિત જળ વહેવડાવવું અને બે, શુદ્ધ ગંગાજળ વહેવડાવવું. સ્વાભાવિકપણે જ કોઈ તંત્રી કબૂલ નહીં કરે કે પોતે અયોધ્યાની બાબતમાં શુદ્ધ ગંગાજળ સિવાયનું બીજું કોઈક પ્રવાહી વહેવડાવ્યું છે. જોકે, પ્રવાહી વિશે અભિપ્રાય આપવાનું કામ તંત્રીઓએ નહીં, પત્રકારોએ નહીં, પણ વાચકોએ પોતે કરવાનું હોય છે અને એ પણ ખૂબ બોલકા એવા આંગળીને વેઢે ગણાય એવા વાચકોએ નહીં, મૂક રહેવા છતાં બધું જ સમજતા બહોળી સંખ્યાના વાચકવર્ગે.  અયોધ્યા વખતે આ મૂક અને જેન્યુઇન વાચકોએ કામ બખૂબી કર્યું. પરંપરાગત અભિવ્યક્તિરૂપે કહેવાતું આવ્યું છે કે અખબારો સમાજનો અરીસો છે. સમાજ જેવો છે એવો જ અખબારોમાં પ્રતિબિંબિત થાય છે. અયોધ્યાની બાબતમાં રાષ્ટ્રના [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/30/angrji-akhabari-aalamani-vishvasaniyata/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું</title>
		<link>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/#comments</comments>
		<pubDate>Mon, 29 Jun 2009 16:53:21 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1258</guid>
		<description><![CDATA[હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ. (આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો બીજો લેખ છે. આવતા ૫-૬ દિવસ આ  લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં બાબરી ઇમારત તોડવામાં આવી ત્યારે સૌથી વધુ રડારોળ અંગ્રેજી છાપાંઓએ કરી. આ ઘટનાથી જેમને આઘાત લાગ્યો તે મુસલમાનોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું કામ આ સ્યુડો સેક્યુલર અંગ્રેજી છાપાંઓએ કર્યું. કેટલાંક મરાઠી અખબારોએ હિન્દુત્વનો પક્ષ ઉઘાડે છોગે લીધો તો એમને કોમવાદી કહીને ઉતારી પાડવામાં આવ્યાં, જ્યારે દરેકે દરેક ઉર્દૂ દૈનિકે ઇસ્લામપંથીઓનો પક્ષ લીધો હોવા છતાં કોઈ સ્યુડો સેક્યુલર પત્રકારે એ દૈનિકો તરફ આંગળી ચીંધી નહીં. હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કૉન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ. બાબરી તૂટી એના બીજા જ દિવસે બિઝીબીએ પોતે જે દૈનિકનું તત્રીપદ સંભાળે છે એની લાસ્ટ પેજ કૉલમ ‘રાઉન્ડ ઍન્ડ અબાઉટ’ માં કંઈક આ મતલબનું લખ્યું હતું : ‘આજે હું મારી રોજની ટેવ મુજબ રેસ્ટોરાંમાં ગયો. મારો રોજનો મુસ્લિમ વેઇટર આવ્યો, પણ હું એની આંખમાં આંખ [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/feed/</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>છઠ્ઠી ડિસેમ્બરની એ તારીખની તવારીખ</title>
		<link>http://saurabh-shah.com/2009/06/27/6-december-ni-e-taarikhni-avarikh/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/27/6-december-ni-e-taarikhni-avarikh/#comments</comments>
		<pubDate>Sat, 27 Jun 2009 17:07:36 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1176</guid>
		<description><![CDATA[અંગ્રેજી દૈનિકોએ હકીકતોની ખોટી રજૂઆત કરીને દેશભરમાં ઘૃણા અને વિસંવાદિતા ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો. (આ લેખ &#8220;સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પહેલો લેખ છે. આવતા ૫-૭ દિવસ આ  લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ૨૦૦૨ની સાલમાં જેમ ગુજરાતને આખા દેશમાં બદનામ કરવામાં આવ્યું એમ એનાં દસ વર્ષ પહેલાં ભારતને આખી દુનિયામાં બદનામ કરવાની શરૂઆત કરી હતી, આ સેક્યુલરવાદી અંગ્રેજી છાંપાઓએ અને ટીવી ચેનલોએ. તે વખતે જોકે, સદનસીબે દેશી ટીવી ચેનલોનું ન્યુસન્સ નહોતું. ‘બાબરી મસ્જિદને ભોંયભેગી કરી નાખવામાં આવી’ એવું કલકત્તાના ‘ટેલિગ્રાફ’એ છાપ્યું તો ‘સ્ટેટ્સમેને’ લખ્યું : ‘કારસેવકો બાબરી મસ્જિદ પર તૂટી પડ્યા, મોટા ભાગનો હિસ્સો તોડી નાખ્યો સલામતી દળો નિષ્ક્રિય.’ આપણા સેક્યુલરશિરોમણિ ‘ટાઈમ્સ ઓફ ઈંડિયા’એ પણ કચકચાવીને મથાળું ફટકાર્યુ: ‘કારસેવક્સ ડિસ્ટ્રોય બાબરી મસ્જિદ. ’ ‘ઈંડિયન એક્સપ્રેસ’, મદ્રાસનું ‘હિન્દુ’, નવી દીલ્હીનું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’, બેંગલોરનું ‘ડેક્કન હેરલ્ડ’- દરેક પ્રમુખ અંગ્રેજી છાપાએ પ્રથમ પાને મોટા મથાળામાં બાબરીની ઈમારતને ‘મસ્જિદ’ ગણાવી. આની સામે ઠાવકાં ગુજરાતી, હિન્દી, મરાઠી અખબારોએ કાં તો બાબરીની ઈમારત શબ્દો વાપર્યા (હિન્દીમાં ‘ઢાંચા’) કાં બાબરી શબ્દનો ઉપયોગ મથાળામાં ટાળીને લખ્યું: ‘ઝનૂને ચડેલા કારસેવકોએ કરેલું વિવાદાસ્પદ બાંધકામને નુક્સાન.’ બાબરીની જર્જરિત, વિવાદાસ્પદ ઈમારતને કોઈ કાળે મસ્જિદ કહી શકાય નહીં, કારણ કે ત્યાં છેલ્લા ચાર દાયકથી [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/27/6-december-ni-e-taarikhni-avarikh/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?</title>
		<link>http://saurabh-shah.com/2009/06/26/vichardhara-4/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/26/vichardhara-4/#comments</comments>
		<pubDate>Fri, 26 Jun 2009 17:34:24 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=687</guid>
		<description><![CDATA[કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક? (આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે &#8216;સમકાલીન&#8217;ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા પુસ્તક &#8216;અયોધ્યાથી ગોધરા&#8217;નો આ એક અગત્યનો લેખ છે. સમગ્ર ભારતના પત્રકારોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાએ જ એ વખતે આ લેખમાં છે એવો સુર ધરાવતા લેખ કે તંત્રીલેખ લખ્યા હતા. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે ત્યાર બાદ બીજા ઘણા રાજકીય વિષ્લેશકો આ સુરમાં લખતા થયા.) આતંક ચાલી રહ્યો છે. પોતાને બિન-સાંપ્રદાયિક કહેવડાવવાના ઉત્સાહના અતિરેક કરનારા તંત્રીઓ આઠ કૉલમના પોતાના રજવાડામાં આતંક ચલાવી રહ્યા છે. દેશની નેબું ટકા પ્રજા જ્યારે અયોધ્યાની ઘટનાથી ખુશખુશાક થઈ ગઈ છે ત્યારે વાચકોનો બૌદ્ધિક સ્તર ઊંચો લાવવાનો ઠેકો લઈને બેઠેલા ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિકો મોં લટકાવીને પોતાની કલમને કાળો સાડલો ઓઢાડીને બેઠાં છે. ફેબિક ઑફ સેક્યુલરિઝમની વાતો કરતાં એમનું મોઢું સૂકાતું નથી અને બિન-સાંપ્રદાયિકતાના એ પોતમંથી ચીદરડીઓ બનાવી એની ધજા ફરકાવતાં તેઓ થાકતા નથી. અયોધ્યામાં જે થયું તે થવાનું જ હતું. રવિવારે આ થયું ન હોત તો ભવિષ્યમાં કોઈ પણ ઘડીએ એવું થયું હોત. કૉંગ્રેસીઓ દ્વારા બિનસાંપ્રદયિકતાના પ્રેશર કૂકરમાં ઠાંસવામાં આવેલી બહુમતી હિન્દુ પ્રજાની વરળ જો આ રીતે ન નીકળી હોત તો આખું કૂકર ઍટમબૉમ્બની જેમ ફાટ્યું હોત. [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/26/vichardhara-4/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>સેક્યુલરવાદીઓ દરેક પગલે હિન્દુઓને પીંખી નાખવા તૈયાર હોય છે</title>
		<link>http://saurabh-shah.com/2009/06/17/vichardhara-3/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/17/vichardhara-3/#comments</comments>
		<pubDate>Wed, 17 Jun 2009 07:18:16 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=646</guid>
		<description><![CDATA[મારી નોંધઃ આ લેખ અત્યારની પરિસ્થિતિ અને વર્તમાન સંઘર્ષને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. જે લોકો પોતાને સેક્યુલર ગણે છે તેઓની પણ આ લેખમાં છે એવી, ઉલટતપાસો થાય તો જ એમની અસલિયત, એમના ચહેરાની મૂળ વિકૃતિઓ, ભયંકરતાઓ અને ગંદી માનસિકતાઓ બહાર આવે. મારાં લખાણોના દરેક વાચકને મારી આજે વિનંતિ છે ઝાઝો ટાઈમ ના હોય તો ઊંઝા-મદનમોહન-લતા-મફતિયા પરાને ઘડીભર પોસ્ટ્પોન કરીને પણ આ લેખ જરૂર વાંચો, એ વિષે અચૂક વિચારો, અને તમે જે વિચારો છો તે કમેન્ટમાં લખો જ લખો. (પહેલો ભાગ વાંચવા અહીં ક્લિક કરો) સેલ્યુલરવાદીઓમાં સૌથી વધુ કોણ હોય છે? જેમને હિન્દુ સંસ્કૃતિ માટે ભારોભાર અણગમો હોય, જેઓ પોતાને હિન્દુસ્તાનના રહેવાસી તરીકે ઓળખાવતાં શરમ અનુભવતા હોય, જેઓ પોતાને બુદ્ધિજીવી માનીને અને પોતાને રેશનલિસ્ટમાં ખપાવીને નાસ્તિક બની ગયા હોય, જેઓ સામ્યવાદી હોય, પણ તક મળ્યે બીજાના પૈસે ભરપૂર ફાઈવસ્ટાર સગવડો ભોગવી લેતા હોય, એટલું જ નહીં, આવી તકો જાતે ઊભી પણ કરી લેતા હોય &#8212; સેમિનારોની સરકિટમાં પ્રવેશીને કે પછી એનજીઓ (દાન ઉઘરાવતી સંસ્થાઓ) ખોલીને. આજ તક, સ્ટાર ન્યુઝ અને ઝી ન્યુઝના કેટલાક  રિપોર્ટરો, ન્યુઝ એડિટરો અને ન્યુઝ રીડરોનો  હિન્દુદ્વેષ એમની વિશ્વસનીયતાને છેક તળિયે લઈ જઈ રહ્યો છે. આ સ્યુડો સેક્યુલર છોકરાછોકરીઓ પાસે કશું જ બેકગ્રાઉન્ડ નથી હોતું. તેઓ આ બધું શીખે છે ક્યાંથી? એમના જેવા જ એમના સિનિયરો પાસેથી. [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/17/vichardhara-3/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધીઓ છે</title>
		<link>http://saurabh-shah.com/2009/06/13/vichardhara-2/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/13/vichardhara-2/#comments</comments>
		<pubDate>Sat, 13 Jun 2009 15:42:55 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[વિચારધારા આર્કાઇવ્ઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=555</guid>
		<description><![CDATA[સાવધાન, શ્રીકૃષ્ણપંચની ભલામણોનો અમલ કરવાની માગણી કરતાં પહેલાં આટલું જાણી લેજો. સંજય દત્તને  સજા થઈ અને આ હત્યાકાંડ સાથે સંકળાયેલા ગુનેગારોમાંના દસને ફાંશી અથવા જન્મટીપની સજા થઈ એટલે સેક્યુલરવાદીઓને માઠું લાગી ગયું છે. મુસલમાનોને સજા થાય ત્યારે તેઓને આવું જ લાગતું હોય છે. એમના મિડિયામિત્રોની સહાયથી તેઓ કહી રહ્યા છે કે બાર માર્ચ, ૧૯૯૩ના બૉમ્બ બ્લાસ્ટ તો છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ પછી મુંબઈમાં થયેલાં રમખાણોનો બદલો છે, એ રમખાણોના દોષિતોને તો સજા કરો. બારમી માર્ચના બૉમ્બ બ્લાસ્ટ્સ દેશદ્રોહનું કાવતરું છે. કોમી રમખાણો, કોમી રમખાણો છે. મેરઠ-ભિવંડી સહિત ડઝનબંધ કોમી રમખાણો, જેમાં મુસ્લિમો કરતાં હિન્દુઓ વધારે મર્યા હોય તેમાં, કોઈ મુસ્લિમ નેતા પકડાયો નથી. કોઈ શ્રીકૃષ્ણપંચ બેઠાં નથી. બદલાવાળી જ થિયરી હોય તો બાબરી એટલા માટે તૂટી કે એ કોઈકે બાંધી, રામમંદિર પર બાંધી. બાંધી જ ન હોત તો તૂટતી જ ક્યાંથી? બદલાવાળી જ થિયરી ચલાવવી હોય તો સુહરાવર્દીએ બંગાળમાં &#8216;ડાયરેક્ટ ઍક્શન ડે&#8217; જાહેર કરીને ૧૯૪૬માં હિન્દુઓની જે કત્લેઆમ કરી તેનો બદલો આજ સુધી લેવામાં આવે તો પણ આંકડો સરભર ના થાય. મોગલકાળમાં હિન્દુઓની હત્યા, જાનમાલની નુકસાની વગેરેનો બદલો લેવાનું શરૂ થાય તો ભારતમાંના તમામ મુસ્લિમોએ ઊભી પૂંછડીએ ભાગવું પડે. પણ આપણે એવું નથી કરવા માગતા. આપણે માત્ર મુસ્લિમોને લાડ લડાવતા અને હિન્દુઓ પર સતત થૂંક્યા કરતા સેક્યુલરિસ્ટો સાથ રેકૉર્ડ સ્ટ્રેઈટ કરવાનો [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/13/vichardhara-2/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
