<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Saurabh Shah Online &#187; ગુડ મૉર્નિંગ</title>
	<atom:link href="http://saurabh-shah.com/category/good-morning/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://saurabh-shah.com</link>
	<description>The Official Web Presence of Writer, Novelist and Journalist Saurabh Shah</description>
	<lastBuildDate>Fri, 12 Aug 2011 07:09:35 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3</generator>
		<item>
		<title>સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો?</title>
		<link>http://saurabh-shah.com/2011/08/11/just-book/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/11/just-book/#comments</comments>
		<pubDate>Thu, 11 Aug 2011 17:00:25 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[just books]]></category>
		<category><![CDATA[જસ્ટ બુક્સ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=4047</guid>
		<description><![CDATA[સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો અને એ વાતનેય બે દાયકા વીતી ગયા. રાઈટ? રૉન્ગ. ગયા મહિને જ મુંબઈમાં અમારા ઘરથી બે મિનિટના અંતરે એક સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ખુલી: &#8216;જસ્ટ બુક્‌સ&#8217; નામની. ગઈ કાલે અંદર જઈને નિહાળી અને આજે એની સભ્ય ફી ભરી. જૂની, રદ્દી જેવી ચોપડીઓ. ધૂળ ખંખેરીને હાથમાં લેવાની. ક્યારેક છેલ્લાં પાનાં ગાયબ હોય તો ક્યારેક પહેલા જ પાને મોટા અક્ષરે કોઈએ લખી નાખ્યું હોય કે ખૂની કોણ છે. એ જમાનો હતો જ્યારે સ્કૂલ કે કૉલેજની લાયબ્રેરીઓમાં જે ચોપડીઓ નહોતી મળતી તે આવી સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓમાં મળી જતી: રસિક મહેતા અને મહેશ મસ્તફકીરથી માંડીને હરકિસન મહેતા, વિઠ્ઠલ પંડ્યા સારંગ બારોટ જેવા એક પણ લોકપ્રિય લેખકો મુંબઈના તથાકથિત સંસ્કારી પુસ્તકાલયોમાં જોવા ન મળે. એ બધાને વાંચવા સર્ક્યુલેટિંગ લાયબ્રેરીમાં જવું પડે. કેટલીક રદ્દી-પસ્તીની દુકાનો સાઈડ બિઝનેસ તરીકે નાનકડી દુકાનના ખૂણામાં આવી સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ચલાવે. ફેન્ટમ અને મેન્ડ્રેકની ગુજરાતી કૉમિક્‌સ પણ ત્યાં જ મળે. સ્કૂલ લાઈફ પછી અંગ્રેજી પુસ્તકો પર નજર પડી. ઈરવિંગ વૉલેસ, આર્થર હેઇલી, ઍલિસ્ટર મૅક્‌લીન, જેફ્રી આર્ચર&#8230; આ બધાની નોવેલો ખરીદી તો બહુ મોડેથી, પહેલાં સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓમાં વાંચી. આર્ચી કૉમિક્‌સ જે નાનપણમાં વાંચી લેવાની હોય તે પાછલી ટીન એજમાં વાંચી. તદ્‌ન શરૂઆતનાં વર્ષોની આર્ચી કૉમિક્‌સ પણ સર્ક્યુલેટિંગ લાયબ્રેરીમાંથી મળી. એ પછી લાયબ્રેરીઓનો જમાનો પૂરો થયો. પુસ્તકોની જગ્યાએ વીડીયો કેસેટ્‌સની લાયબ્રેરીઓ ખુલવા માંડી. આ તરફ કૉલેજનાં [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/11/just-book/feed/</wfw:commentRss>
		<slash:comments>24</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૯</title>
		<link>http://saurabh-shah.com/2011/08/09/lagnetar-sambandho-9/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/09/lagnetar-sambandho-9/#comments</comments>
		<pubDate>Tue, 09 Aug 2011 04:41:05 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=4002</guid>
		<description><![CDATA[ત્રાજવાનો કાંટો બરાબર મધ્યમાં આવે અને બેઉ પલ્લાં સમતોલ રહે એવું દાંપત્યજીવન અશક્ય છે અને શક્ય હોય તો પણ અનિચ્છનીય છે કારણ કે સમતુલા રાખવાના પ્રયત્નોમાં વહેલીમોડી કૃત્રિમતા ભળી જતી હોય છે. લગ્નજીવનમાં સતત રોમાન્સ શોધતાં પતિપત્નીને ટૂંક સમયમાં જ ગૃહસ્થી શુષ્ક લાગવા માંડે છે અને લગ્ન પછીનું જીવન એમના માટે એક રૂટિન, એક કંટાળો બની જાય છે. પણ જો એટલી સમજ પહેલેથી જ કેળવી હોય કે લગ્નપૂર્વેનાં વર્ષોના રોમાન્સનું આ ઍક્સટેન્શન નથી તો લગ્નજીવન સાથે સંકળાયેલી ઘણી બધી ગૂંચ આપોઆપ ઊકલી જતી દેખાય. રોમાન્સનો તબક્કો પૂરો થયા પછી કૌટુંબિક જીવનની હૂંફનો, ગૃહસ્થીનો તબક્કો શરૂ થાય છે જે જીવનનો વધુ એક શુભ અને ખૂબસૂરત વળાંક છે. પ્રસન્નતા અને સંતોષને બદલે અનેક લોકોના જીવનમાં સતત અભાવ અને અધૂરાપણાનો સૂર સંભળાતો હોય છે. આવા લોકોએ હાઈ-વેના ટ્રક ડ્રાયવરો પાસેથી કંઈક શીખવાનું છે. તેઓ ટ્રકની પાછળ જે સૂત્રો લખે છે એમાંનું એક હોય છે: અપની ઔકાત મત ભૂલો. લગ્નનો એક બહુ મોટો દોષ છે અંગત જીવનનો લોપ. પતિપત્ની એકબીજાના માનસિક અને અંગત વિશ્વનો આદર કરતાં થાય તો જ બેઉને એકબીજાના સહારે વિકસવાની તક મળે. અન્યથા બેઉનું વ્યક્તિત્વ ગૂંગળામણને કારણે વિકસતું અટકી જાય, અકાળે મૂરઝાઈ જાય. જેનામાં કોઈ નવું મૂળ, કોઈ નવી ડાળ કે નવું ફૂલ ફૂટતાં નથી એવું મરી ગયેલું ઝાડ પણ વર્ષો સુધી [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/09/lagnetar-sambandho-9/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૮</title>
		<link>http://saurabh-shah.com/2011/08/08/lagnetar-sambandho-8/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/08/lagnetar-sambandho-8/#comments</comments>
		<pubDate>Mon, 08 Aug 2011 05:53:48 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3943</guid>
		<description><![CDATA[લગ્નેતર સંબંધો ન જન્મે અને એ માટેની પૂર્વશરતરૂપે સંબંધેતર લગ્નો ન સર્જાય તેવી પરિસ્થિતિ ક્યારે શક્ય બને? સંબંધેતર લગ્ન ન સર્જાય એની તકેદારી લેવા માટે સાત મુદ્દા છે. ચાહો તો એને સપ્તપદી કહી શકો, ચાહો તો એને કુન્દનિકાબહેન કાપડિઆને યાદ કરીને સાત પગલાં આકાશમાં કહી શકો. હકીકતમાં, આ સાત મુદ્દાઓ એ સાત રંગ છે જે પ્રસન્ન દાંપત્યનું, પ્રસન્ન સહજીવનનું વાસ્તવિક ઇન્દ્રધનુષ રચે છે. આવાં મેઘધનુષોનું સર્જન ઈશ્વરની ઈજારાશાહી નથી. પતિ-પત્નીને એકબીજાના ગળાડૂબ  પ્રેમમાં જોઈને લોકોને આશ્ચર્ય થતું હોય છે, ક્યારેક એ ખરેખર દેખાડો જ હોય છે. પણ સમાજમાં એવાંય પ્રસન્ન દંપતીઓ છે જેઓ લગ્ન થયાંનાં વર્ષો પછી પણ એકબીજાનાં સાનિધ્યમાં રહેવાની ઉત્કટ ઝંખના ધરાવતાં હોય, જેઓ કોઈ સામાજીક જવાબદારી કે કૌટુંબિક બંધનના કારણે નહીં પરંતુ એકબીજા માટેના સો ટચના પ્રેમને કારણે લગ્નજીવન કે સહજીવન ગાળતાં હોય. આવા જીવનની એમણે  અગાઉથી આશા રાખી હોય છે અને એ આશાના પરિણામને ઉછેરવામાં એમણે સભાનતાપૂર્વક કાળજી દેખાડી હોય છે. વર્ષો વીતતાં સભાનતાનું સ્થાન સાહજિકતા લઈ લે છે. ખરાબ વર્તણૂક, ખરાબ વિચારો કે ખરાબ માનસિકતા વારંવારના પુનરાવર્તનના અંતે ગંદી કુટેવોમાં પરિણમે એ જ રીતે સારું વર્તન,સારા વિચારો અને ખુલ્લી મનોદશા રાખવાની પ્રક્રિયાનું પુનરવર્તન થતું રહે ત્યારે એ સુંદર આદતમાં પરિણમે. સંસ્કારો આ જ રીતે જન્મતા હોય છે, પાંગરતા હોય છે. એક વાત સ્પષ્ટ છે કે [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/08/lagnetar-sambandho-8/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૭</title>
		<link>http://saurabh-shah.com/2011/08/07/lagnetar-sambandho-7/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/07/lagnetar-sambandho-7/#comments</comments>
		<pubDate>Sun, 07 Aug 2011 02:50:48 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3939</guid>
		<description><![CDATA[૪. લગ્નમાં સલામતીનું વળગણ માણસને પરવશ બનાવી દે છે. એ સલામતી પૈસા સંબંધી હોય, શરીર સંબંધી હોય કે પછી લાગણી સંબંધી. સલામતીની ઇચ્છા ન રાખવી એટલે લાપરવાહી કે બેજવાબદારીથી વર્તન કરવું એવું નહીં. પાછલી ઉંમરે પૈસા નહીં હોય તો શું થશે એવા ભયને કારણે અસલામતી અનુભવનારાઓ પૈસા કમાવવા શું શું કરે છે તે તમે જોયું છે. આની સામે, આર્થિક સલામતીના વળગણમાંથી મુક્ત થઈ આર્થિક નિશ્ચિંતતાને લક્ષ્ય બનાવનારાઓની માનસિક નિરાંત પણ જોઈ છે. તેઓ પણ કમાય છે, પાછલી ઉંમરે કામ લાગે તે માટે બચત કરે છે છતાં એમની કમાણી ભયગ્રસ્ત માનસમાંથી નથી આવતી. જેમના માથે જાનનું જોખમ હોય એવા ટોચના રાજકારણીઓથી માંડીને લશ્કર કે પોલીસના ઉચ્ચાધિકારીઓ કે ઉદ્યોગપતિઓ ઇત્યાદિ પોતાની સલામતી માટે લાપરવાહ બન્યા વિના અંગરક્ષકોનું સુરક્ષાવર્તુળ પોતાની આસપાસ રાખે છે. રાખવું જ જોઈએ. પરંતુ સતત ચોવીસ કલાક તેઓ વિચાર્યા કરે કે માથે મોત ભમે છે તો તેઓ પોતાનું કામ કેવી રીતે કરશે.  પાયાની સુરક્ષાવ્યવસ્થા કર્યા પછી તેઓએ માનસિક નિશ્ચિંતતા કેળવવી જ પડે, અસલામતીનો ખ્યાલ મનમાંથી કાઢી નાખવો પડે. લાગણીના સંબંધમાં સલામતી પ્રવેશ્યા પછી એની પાછળ પાછળ બેદરકારી ચૂપચાપ આવી જાય છે. લગ્ન દરેક સંબંધ પર સલામતીની મહોર મારી આપે છે. પ્રેમીમાંથી પતિ બની ગયેલો પુરુષ સલામતી અનુભવતો થઈ જાય છે. પત્ની પોતાને છોડીને બીજાની પાસે જવાની નથી એવી સલામતી અનુભવતો [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/07/lagnetar-sambandho-7/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો: ૬</title>
		<link>http://saurabh-shah.com/2011/08/06/lagnetar-sambandho-6/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/06/lagnetar-sambandho-6/#comments</comments>
		<pubDate>Sat, 06 Aug 2011 11:31:25 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3955</guid>
		<description><![CDATA[૨. સંબંધેતરલગ્નના બીજા કારણના બે પેટાવિભાગ. એક તો, જેની સાથે પ્રેમ થયો એને પરણવું જ જોઈએ એવી માન્યતાઅને બે, રોમાન્સની-પ્રેમની પરાકાષ્ઠારૂપે લગ્ન જ હોઈ શકે એવી માન્યતા. આ બેઉ માન્યતા એકબીજા સાથે જોડાયેલી છે. લગ્નજીવન એટલે શું– એની અધકચરી સમજને કારણે આ બેઉ માન્યતાનો જન્મ થાય છે. ખરેખર તો બીજી માન્યતા પહેલાં જન્મે છે જેને કારણે પહેલી પણ એની પાછળ પાછળ આવે છે. પ્રેમ અને રોમાન્સ એટલે શું અને એનું પૃથક્કરણ કરીએ તો એમાં કયાંકયાં તત્વો-સંયોજનો મળી આવે એની જ જ્યારે પૂરી સમજ ન હોય એ ઉંમરે લગ્ન વિશેની સમજ ક્યાંથી હોવાની? આવી સમજ પુખ્ત સંતાનોને એમની મુગ્ધાવસ્થામાં જ આપવાની જવાબદારી કોની? કદાચ માબાપની.નિષ્ફળ જતા પ્રેમની તેમ જ નિષ્ફળ જતા લગ્નજીવનની સીધી જવાબદારીનો મોટો હિસ્સો બે સંબંધિત વ્યક્તિઓનો હોવા છતાં આ બેઉ માટેનાં આડકતરાં અથવા અપ્રગટ કારણોમાં માબાપનો-ઉછેરનો હિસ્સો પણ હોય છે. લગ્નની કંકોતરીમાં પરદાદા, દાદાથી માંડીને માતાપિતાનાં નામ હોંશે હોંશે લખવામાં આવે છે એમ જો છૂટાછેડાની કંકોતરી મોકલવાનો રિવાજ શરૂ થાય તો આ તમામ નામ એમાં ફરી લખાવાં જોઈએ. લગ્નની કંકોતરીમાં પરદાદા, દાદાથી માંડીને માતાપિતાનાં નામ હોંશે હોંશે લખવામાં આવે છે એમ જો છૂટાછેડાની કંકોતરી મોકલવાનો રિવાજ શરૂ થાય તો આ તમામ નામ એમાં ફરી લખાવાં જોઈએ. જે વ્યક્તિ તમારા માટે લવેબલ હોય તે વ્યક્તિ તમારા માટે મૅરેજેબલ હોઈ [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/06/lagnetar-sambandho-6/feed/</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૫</title>
		<link>http://saurabh-shah.com/2011/08/05/lagnetar-sambandho-5/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/05/lagnetar-sambandho-5/#comments</comments>
		<pubDate>Fri, 05 Aug 2011 07:03:03 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3917</guid>
		<description><![CDATA[ફૅક્ટરીઓથી માંડીને હૉટેલ-રેસ્ટોરાં શરૂ કરવાનું લાયસન્સ લીધા પછી દર વર્ષે તમારા પ્રિમાઇસીસ પર ફૅક્ટરી ઇન્સ્પેક્ટરો ઇત્યાદિની અવરજવર શરૂ થઈ જાય છે. નિશ્ચિત ધોરણો મુજબનો તમારો કારભાર ચાલે છે કે નહીં તેની તપાસ થાય છે. ગુણવત્તાથી લઈને સલામતીનાં ધોરણો અમુક હદથી નીચે જતાં રહ્યાં હોય તો લાયસન્સ રિન્યુ નથી થતું. તમે ફરી કાળજી લઈને એ ધોરણો પુનઃ સ્થાપિત કરો તો જ લાયસન્સની મુદ્દત વધારી આપવામાં આવે. આના કારણે ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોનું યોગ્ય નિયમન થાય છે અને પરિણામે સૌની ઉન્નતિ થાય છે. ફૅક્ટરી ઇન્સ્પેક્ટરોની જેમ લગ્નપ્રથા શરૂ થઈ ત્યારથી મૅરેજ ઇન્સ્પેક્ટરોનો ચાલ શરૂ થયો હોત તો? આજે પણ એવો નિયમ બનાવવામાં આવે તો આજનાં કેટલાં લગ્નો લાયસન્સ રિન્યુ કરી આપવાને લાયક પુરવાર થાય? કેટલાં લગ્નો ગુણવત્તાથી માંડીને સલામતી વ્યવસ્થા સુધીની કસોટી પર ખરાં ઊતરે? કેટલાં લગ્નો, બાય પ્રોડક્ટરૂપે પેદા થતા પ્રદૂષણને ખાળવા માટેના પોલ્યુશન ટેસ્ટમાંથી પાસ થઈ શકે? લગ્ન એક એવી વિધિ છે જે થઈ ગયા પછી, જેનું લાયસન્સ મળી ગયા પછી, એને મેઇન્ટેઇન કરવાની જવાબદારી સંબંધિત વ્યક્તિઓની છે એવી કોઈ ફરજ લાદવામાં નથી આવતી. આવી ફરજ લાદવામાં ન આવી હોવા છતાં જેઓ સ્વૈચ્છિક રીતે પોતાનાં લગ્નની જાળવણી કરી શકે છે, મૅરેજ ઇન્સ્પેક્ટર આવી જશે તો લાયસન્સ રિન્યુ નહીં થાય એવી કાલ્પનિક ધાકથી જેઓ પોતાનાં લગ્ન સાથે સંકળાયેલી બાબતોનાં મિનિમમ સ્ટાન્ડર્ડ્‌સ જાળવી રાખે [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/05/lagnetar-sambandho-5/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૪</title>
		<link>http://saurabh-shah.com/2011/08/04/lagnetar-sambandho-4/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/04/lagnetar-sambandho-4/#comments</comments>
		<pubDate>Thu, 04 Aug 2011 12:20:22 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3902</guid>
		<description><![CDATA[સંબંધેતર લગ્નોનાં કારણો તરફ જતાં પહેલાં એક ઝડપી નજર લગ્નેતર સંબંધોનાં કારણો તરફ નાખી લેવી જરૂરી છે. આ બેઉ પરિસ્થિતિઓને એકબીજા સાથે સીધો સંબંધ છે. લગ્નેતર સંબંધોનાં કારણો તપાસતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીં મુદ્દો લગ્નેતર સંબંધોનો ચર્ચાઈ રહ્યો છે, કોઈ ઉપરછલ્લા પરિચયનો નહીં. આત્મીયતા જેમાં ભળી જતી હોય એવા લગ્નેતર સંબંધોનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. અંગ્રેજીમાં જેને વન નાઈટ સ્ટૅન્ડ, ફ્લિન્ગ તેમ જ  ફ્લર્ટિંગ કહે છે (આ ત્રણેય જુદી જુદી બાબતો છે) તેના વિશે નહીં, એક્‌સ્ટ્રા મરાયટલ રિલેશનશિપ વિશે ચર્ચા થઈ રહી છે. સ્ત્રીપ્રુરુષ વચ્ચે બંધાતો દરેક સંબંધ, પછી ગમે તે કારણે તે સર્જાયો હોય, આગવી પવિત્રતા સાથે જન્મે છે. એ સંબંધની ગરિમા ભવિષ્યમાં જળવાય છે કે કેમ તેનો આધાર બેઉ વ્યક્તિઓએ પોતપોતાની રીતે એના ઉછેરમાં આપેલા ફાળા પર છે. લગ્નેતર સંબંધોનાં કારણો : ૧.જાતીય ઈચ્છાની, સેક્સની કે કામવેગની પરિતૃપ્તિ લગ્નેતર સંબંધોનું એક કારણ હોઈ શકે.  ક્યારેક  એકમાત્ર કારણ પણ હોઈ શકે. આને કારણે એ સંબંધના જન્મ સાથે જોડાયેલી પવિત્રતાને કોઈ હાનિ પહોંચતી નથી.  હાનિ ત્યારે જ પહોંચે છે જ્યારે વ્યક્તિ આ સંબંધની મૂળ ઊંચાઈ જાળવી રાખવાને બદલે યાંત્રિકતામાં સરી પડીને નીચે પટકાય છે. અહીં બે વાતની ચોખવટ થઈ જવી જોઈએ. અનેક સાચાંખોટાં પ્રમાણો આપીને કહેવાયું કે મનુષ્ય અને એમાંય ખાસ કરીને પુરુષ, જાતીયતાની બાબતમાં પહેલેથી [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/04/lagnetar-sambandho-4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૩</title>
		<link>http://saurabh-shah.com/2011/08/03/lagnetar-sambandho-3/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/03/lagnetar-sambandho-3/#comments</comments>
		<pubDate>Wed, 03 Aug 2011 12:15:13 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>
		<category><![CDATA[સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3854</guid>
		<description><![CDATA[૧. પ્રથમ સ્તર તે માનસિક સ્તર. મનોમન એકબીજાની હાજરીની ઝંખના રહે કે એકબીજાની તસવીર આંખ સામે આવતી રહે  એ પછી આ સ્તર સર્જાય છે. રૂબરૂ મળ્યા વિના તમે જેની નિકટતાનો અહેસાસ કરી શકો એવી વ્યક્તિ સાથે માનસિક સ્તરે ખાસ્સા એવા કમ્ફર્ટેબલ છો એવું પુરવાર થઈ ગયું. સ્વભાવ, રસના વિષય કે શિક્ષણ-સંસ્કાર-ઉછેર ભિન્ન હોય તે છતાં માનસિક એકાત્મતા અનુભવી શકાય. ૨. માનસિક નિકટતા જે વ્યક્તિની સાથે હોય તેના માટે ભાવનાત્મક કે ઇમોશનલ સ્તરે પણ નિકટતા અનુભવાતી હોય છે. પરંતુ જેના માટે ઇમોશનલ એટેચમેન્ટ હોય, જેની સાથે લાગણીના સંબંધો હોય, તેની સાથે માનસિક ઐક્ય પણ મહેસૂસ થાય જ એવું જરૂરી નથી. ક્યારેક માત્ર અમુક સંજોગોમાં સાથ મળી જવાથી ભાવનાત્મક સંબંધો સર્જાઈ જતા હોય છે. ક્યારેક માત્ર મરજીથી કે નામરજીથી વર્ષો સુધી સાથે રહેવાને કારણે પણ લાગણીનું સાયુજ્ય સર્જાતું હોય છે. આવાં કોઈ કારણો વિના સર્જાતા ભાવનાત્મક સંબંધો વધુ ટકોરાબંધ હોય છે.  એમાં ઓછામાં ઓછો ભેગ હોય છે. ૩. સંબંધોમાં બૌદ્ધિક પ્રવાહ કે ઇન્ટલૅકચ્યુઅલ લેવલનો અર્થ એ નથી કે બેઉ વ્યક્તિઓ ભારે બુદ્ધિશાળી હોય. બેઉ વ્યક્તિઓનો બૌદ્ધિક સ્તર એકમેકને અનુરૂપ હોય ત્યારે આદર્શ ઇન્ટલૅકચ્યુઅલ સંબંધ સર્જાય. યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર બનેલી મહિલા ઇંટ ગોઠવતા કડિયા સાથે પરણે ત્યારે ઇન્ટલૅકચ્યુઅલી એ ક્યારેય સુખી ન થાય. કડિયા સાથે શાક વેચવાવાળી કાછિયણ પરણે તો શક્ય છે કે [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/03/lagnetar-sambandho-3/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૨</title>
		<link>http://saurabh-shah.com/2011/08/02/lagnetar-sambandho-2/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/02/lagnetar-sambandho-2/#comments</comments>
		<pubDate>Tue, 02 Aug 2011 10:38:09 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3820</guid>
		<description><![CDATA[સંબંધોના પાંચ સ્તર (મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ) વિશે ચર્ચા કરતાં પહેલાં કેટલાંક અનુમાનોનો પૂર્વસ્વીકાર થઈ ગયો છે એવું માની લઈએ : •માણસની સૌથી મોટી જવાબદારી પોતાને ખુશ રાખવાની છે. પોતે ખુશ હશે તો પોતાની નિકટની, ઓછી નિકટની અને દૂરની– દરેક વ્યક્તિને ખુશ કરવાનો એ પ્રયાસ કરી શકશે અને એ પ્રયાસમાં સફળતા મળે એવી આશા પણ રાખી શકશે. •સંબંધોમાં સો ટકા નિખાલસતા જરૂરી નથી. નિખાલસતા અને નફ્ફટાઈ વચ્ચે બારીક ભેદરેખા છે. આ ભેદરેખા નીચી ઉતરી જાય છે ત્યારે દંભ અને છેક ઉપર ચડી જાય છે ત્યારે નફ્ફટાઈ નામની વર્તણૂક સર્જાય છે. નાનીથી માંડીને મોટી કહી શકાય એવી અસંખ્ય બાબતો સંબંધ દરમિયાન એકમેકના જીવનમાં અને વિચારોમાં સર્જાતી રહે છે. આની જાણ એકબીજાને ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ નુક્સાન થતું નથી. આવી બાબતો કઈ તેની કોઈ તૈયાર સરકારી યાદી નથી હોતી. વ્યક્તિએ પોતે એ નક્કી કરી લેવાની. •વફાદારી એટલે શું ? લગ્નજીવન ચાલુ રાખીને અન્ય વ્યક્તિ સાથે ખાનગી સંબંધ જોડવા ? કે પછી નિખાલસતાથી લગ્નજીવનનો અંત આણીને, પોતે જે વ્યક્તિ સાથે આજીવન રહેવાના સોર્ટ ઑફ સોગંદ લીધા હતા તે વ્યક્તિને ત્યજીને, લોકોની ભાષામાં એ વ્યક્તિ સાથે બેવફાઈ કરીને, ત્રીજી વ્યક્તિ સાથે પ્રગટપણે સંબંધ રાખવા ? આ બેમાંની કઈ પરિસ્થિતિમાં તમે તમારાં પતિ-પત્ની પ્રત્યે બેવફાઈ દેખાડો છો તે તમારે નક્કી કરવાનું અને [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/02/lagnetar-sambandho-2/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૧</title>
		<link>http://saurabh-shah.com/2011/08/01/lagnetar-sambndho1/</link>
		<comments>http://saurabh-shah.com/2011/08/01/lagnetar-sambndho1/#comments</comments>
		<pubDate>Mon, 01 Aug 2011 12:40:15 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[ગુડ મૉર્નિંગ]]></category>
		<category><![CDATA[લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=3808</guid>
		<description><![CDATA[સમાજ લગ્નેતર સંબંધો વિશે જેટલી ફિકર કરે છે એટલી ચિંતા એને સંબંધેતર લગ્નો વિશે નથી હોતી. એક્સ્ટ્રા મરાયટલ રિલેશન્સ અથવા તો લગ્નબાહ્ય સંબંધો વિશે ચિંતાપૂર્વક વાત કરતા લોકોને ક્યારેય એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ અથવા તો સંબંધબાહ્ય લગ્નો વિશે વિચારવાની જરૂર જણાતી નથી. લગ્નના બંધનની બહાર સર્જાતા સંબંધો વિશે જેમ ચર્ચા થતી હોય છે એ રીતે સંબંધોની હાજરી વિના ચાલ્યા કરતાં લગ્નો વિશે પણ ચર્ચા થવી જોઈએ. ‘એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ’ અર્થાત‍ ‘સંબંધેતર લગ્નો’- આ બંને  શબ્દપ્રયોગ પહેલવહેલીવાર થઈ રહ્યા છે. ધીમે ધીમે લોકજીભે ચઢી જશે. લગ્નેતર સંબંધો હંમેશાં માત્ર અનૈતિક જ નહીં, ગેરકાનૂની પણ ગણાયા છે. કેટલાક કિસ્સામાં, કેટલાક નહીં ઘણાબધા કિસ્સામાં, એ ઇચ્છનીય હોવા છતાં સમાજે એને અનૈતિક ગણવાનું ચાલુ રાખ્યું છે. સમાજ માટે આવી માન્યતા રાખવી જરૂરી હશે. આવા સંબંધોને આડા સંબંધો કે લફરાંબાજી જેવી ડેરોગેટરી અભિવ્યક્તિથી ઉતારી પાડવા પાછળ પણ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એવો આશય હશે. લગ્નેતર સંબંધો હંમેશાં છુપાવવા યોગ્ય જ ગણાયા. પણ સંબંધેતર લગ્નોને લોકોએ ક્યારેય અનૈતિક નથી ગણ્યાં. લગ્નમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નામશેષ થઈ ગયો હશે છતાં એ લગ્ન સો ટકા કાનૂની ગણાશે. એટલું જ નહીં, સંબંધેતર લગ્નોને બીજાઓ આગળ, વટથી પહેરાયેલા મંગળસૂત્ર દ્વારા કે પછી ‘આ મારાં મિસિસ&#8230;’ કહીને રજૂ કરવામાં કોઈનેય સંકોચ નહીં નડે. સંબંધેતર લગ્નોની રજત જયંતિઓ ધામધૂમથી ઊજવાશે. સંબંધની ગેરહાજરીમાં ચાલ્યા કરતાં [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2011/08/01/lagnetar-sambndho1/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
	</channel>
</rss>

