<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Saurabh Shah Online &#187; બુક સૌરભ</title>
	<atom:link href="http://saurabh-shah.com/category/booksaurabh/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://saurabh-shah.com</link>
	<description>The Official Web Presence of Writer, Novelist and Journalist Saurabh Shah</description>
	<lastBuildDate>Fri, 12 Aug 2011 07:09:35 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.2</generator>
		<item>
		<title>વણજારાનાં જેલકાવ્યો</title>
		<link>http://saurabh-shah.com/2009/07/01/vanjara-preface-of-jail-poems/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/01/vanjara-preface-of-jail-poems/#comments</comments>
		<pubDate>Wed, 01 Jul 2009 16:54:11 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બુક સૌરભ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1333</guid>
		<description><![CDATA[બે વર્ષથી કારાવાસ ભોગવી રહેલા મારા સાથી કેદી અને ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડના ભૂતપૂર્વ ચીફ ડી.જી. વણજારાનાં જેલકાવ્યો વણઝારાસાહેબ પરના આક્ષેપો પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે છે અને આપણે સૌ&#8230; મારી તીવ્ર ઇચ્છા હતી કે જેલમાંથી બહાર જતાં પહેલાં આ એક કેદીનાં દર્શન કરું. મારું સદભાગ્ય કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટાઇટ સિક્યુરિટી વચ્ચે, મારી બેરેક નં.૬થી  લગભગ ૫૦૦ પગલાં દૂર આવેલા સરદાર યાર્ડ્માં રાખવામાં આવેલા એ કેદીને પૂરા એક કલાક માટે મળી શક્યો. એ કેદીનું નામ ડાહ્યાજી ગોબરજી વણજારા (તેઓ વણઝારાને બદલે આમ જ લખે છે). જન્મ: ૧ જૂન ૧૯૫૪. છેલ્લો હોદ્દો ડી. આઈ. જી.- ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ. બાહોશ આઇ.પી.એસ. ઓફિસર તરીકે નામના મેળવનાર અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ તરીકે બજાવેલી કામગીરીને કારણે ગુજરાતભરમાં સૌના આશીર્વાદ મેળવનાર વણજારા સવા બે વર્ષથી જેલમાં છે. અન્ય આક્ષેપો ઉપરાંત એમના પર આક્ષેપ છે સોહરાબુદ્દીન નામના સેક્યુલરોના લાડકવાયા બની ગયેલા ખતરનાક ગુંડાને એક એન્કાઉન્ટરમાં મારી નાખવાનો. વણઝારાસાહેબ પરના આક્ષેપો પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે છે અને આપણે સૌ અમદાવાદીઓ, ગુજરાતવાસીઓ, હિન્દુસ્તાનીઓ, એન.આર.આઇઓ પાણીપુરી અને દાળ ઢોકળીના સ્વાદને જીવનમરણનો ખેલ ગણીએ છીએ, છટ! હું વણજારાને જેલમાં અને તે પછી પણ કેવી રીતે મળ્યો એની વાત ‘મારા જેલના અનુભવો’નાં આગામી  પ્રકરણોમાં આવશે. અહીં મારે આજે બપોરે મારા ઘરે વણજારાસાહેબે [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/01/vanjara-preface-of-jail-poems/feed/</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો)</title>
		<link>http://saurabh-shah.com/2009/06/29/maun-ni-mahefil/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/29/maun-ni-mahefil/#comments</comments>
		<pubDate>Mon, 29 Jun 2009 18:16:06 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બુક સૌરભ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1266</guid>
		<description><![CDATA[ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા, જિંદગી હમણાં જ મેં રંગી હતી મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો): હર્ષ બ્રહ્મભટ્ટ પ્રકાશક: જયેશ પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨-પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯, ફોન ૦૭૯-૨૬૫૮ ૩૭૮૭. Website: http://www.navbharatonline.com, email: info@navbharatonline.com પ્રથમ આવૃત્તિ: એપ્રિલ, ૨૦૦૯, કિંમત: રૂ. ૧૫૦/-, સાઈઝ: ૧૭ x ૧૭ સે.મી. હર્ષ બ્રહ્મભટ્ટ ચૂપચાપ પ્રવેશીને ભાવકના હ્રદયનો કબજો લઈ લેતા આ યુગના એક મેજર પોએટ છે. કોઈ હોહા વગરનું એમનું વ્યક્તિત્વ એમના સર્જન જેવું જ છે. ‘મૌનની મહેફિલ’ હર્ષમિજાજનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. ત્રણ ગુજરાતી કાવ્યસંગ્રહો ઉપરાંત બે ઉર્દૂ દીવાન પણ હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી મળ્યાં છે. ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ પ્રસ્તાવનાઓ લખતા નથી. ‘મૌનની મહેફિલ’માટે કવિએ અપવાદ કર્યો છે. રાજેન્દ્ર શુક્લ લખે છે: ‘&#8230; ગઝલમાં, કવિતામાં બધું જ ન થાય અને બધું જ થાય. કોઈ પણ સ્વકીય અનુભૂતિને નિરૂપી શકાય પણ તે ગઝલની, કવિતાની શરતે; અને એ શરત બહુ આકરી છે.’ આ આકરી શરત પાળીને હર્ષ બ્રહ્મભટ્ટે ‘મૌનની મહેફિલ’ને સજાવી છે. સંગ્રહની પહેલી જ ગઝલથી કવિનો મિજાજ ટેઈક-ઓફ લઈ ઊંચી ઉડાન તરફ રવાના થાય છે. ‘બોલ્યો’ ગઝલ (પૃ.૩)નો મત્લા છે: સુખ વિશે જયાં હેસિયતની બ્‍હાર બોલ્યો, સ્વપ્ન જુએ છે? તરત અંધાર બોલ્યો. અધૂરાં સપનાઓને દીવા સ્વપ્નો દ્વારા સાકાર કરવાના પ્રયત્નો કેટલા જલદી વાસ્તવિક્તાની ધરતી પર પટકાતા હોય છે? કદાચ [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/29/maun-ni-mahefil/feed/</wfw:commentRss>
		<slash:comments>12</slash:comments>
		</item>
		<item>
		<title>‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન</title>
		<link>http://saurabh-shah.com/2009/06/26/ame-bolio-chhie/</link>
		<comments>http://saurabh-shah.com/2009/06/26/ame-bolio-chhie/#comments</comments>
		<pubDate>Fri, 26 Jun 2009 15:51:44 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બુક સૌરભ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1066</guid>
		<description><![CDATA[અમે બોલીઓ છીએ: શાન્તિભાઈ આચાર્ય પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, ટાઈમ્સ પાછળ, અમદાવાદ 380009. email: gspamd@vsnl.net,વેબ સાઇટ:gujaratisahityap arishad.org પુષ્ઠ: 469 (ડેમી સાઈઝ),કિંમત: રૂ. 300,પ્રથમ આવૃત્તિ: માર્ચ 2009. ગુજરાતી ભાષામાં રસ ધરાવનારને, એના અભ્યાસમાં ઊંડા ઉતરવા માગનારને અને રિસર્ચ વર્કમાં રેફરન્સ મટિરિયલ તરીકે ઉપયોગ કરવા ધારનાર માટે સોનાની ખાણ પુરવાર થાય એવું એક પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદે તાજેતરમાં પ્રગટ કર્યું છે. શાન્તિભાઈ આચાર્ય અડધી સદીથી (૧૯૬૦થી) ગુજરાતી બોલીઓ વિશે સંશોધનો કરી રહ્યા છે. પુસ્તકમાં કચ્છી  બોલીઓ  વિશેના પ્રથમ પ્રકરણમાં છ પેટા-પ્રકરણો છે: 1. રાજગોર (બ્રાહ્મણ)ની કચ્છી-માંડવી વિસ્તાર, 2. જૈન (ઓશવાળ)ની કચ્છી-બિદડા અને માંડવી વિસ્તાર, 3. સંઘારી કચ્છી- એ પણ બિદડા-માંડવી વિસ્તાર, 4. ભાટિયા જ્ઞાતિની કચ્છી-મુંદ્રા વિસ્તાર, 5. જત્ત (મુસ્લિમ)ની કચ્છી –બન્ની વિસ્તાર અને 6. સીદી કચ્છી-બેડી વિસ્તાર. મઝાની વાત એ છે કે અહીં વિવિધ બોલીઓ વિશેની શાસ્ત્રીય, વિદ્વાનોને-અભ્યાસીઓને ઉપયોગી માહિતી ઉપરાંત સામાન્ય વાચકને મઝા પડે એવી દરેક બોલીઓની અઢળક વાર્તાઓ પણ છે. પુસ્તકમાં ઊભા અડધા પાના પર એ વાર્તા અને એની બાજુમાં જ એ વાર્તાનો સાદી- સરળ ગુજરાતીમાં અનુવાદ. વાર્તાઓ મઝાની છે અને વિવિધ બોલીઓમાં વાંચવાની ઔર મઝા આવે એવી છે. કચ્છી બોલીઓ પછી સૌરાષ્ટ્રી (કાઠિયાવાડી ) બોલીઓનું પ્રકરણ છે જેમાં: 1 હાલારી બોલી, 2. ગોહિલવાડી બોલી: બોટાદ વિસ્તાર અને 3. ભાલ પંથક (પ્રદેશની) બોલી વિશે વાત છે. ત્યારબાદ ઉત્તર [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/06/26/ame-bolio-chhie/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
	</channel>
</rss>

