<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Good Morning Online &#187; બેસ્ટ ઑફ સૌરભ શાહ</title>
	<atom:link href="http://saurabh-shah.com/category/bestofsaurabhshah/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://saurabh-shah.com</link>
	<description>The Official Web Presence of Writer-Journalist Saurabh Shah</description>
	<lastBuildDate>Wed, 08 Sep 2010 22:56:07 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.0.1</generator>
		<item>
		<title>શેક્સપિયર ખરેખર શું કહી ગયો?</title>
		<link>http://saurabh-shah.com/2010/07/16/kharekhar/</link>
		<comments>http://saurabh-shah.com/2010/07/16/kharekhar/#comments</comments>
		<pubDate>Fri, 16 Jul 2010 10:31:57 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>
		<category><![CDATA[નામ]]></category>
		<category><![CDATA[શેક્સપિયર]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=2463</guid>
		<description><![CDATA[ચુનીભાઈ પટેલ અમેરિકા જઈને પોતાનું નામ ચાર્લી રાખી લે કે જીવાભાઈ જોર્જ બની જાય ત્યારે ભારતમાં વસતા તેમના ભાઈઓને મજા પડે છે. દેશી ભાઈઓને ખબર નથી હોતી કે ચાર્લી, જોર્જ, રૉબર્ટ અને રીટા જેવાં નામોમાં પણ ઢંગ હોય છે, ધડો હોય છે અને ખૂબસૂરત અર્થ પણ હોય છે. કીર્તિભાઈ, અમૂલખચંદ, શાંતિલાલ અને હસમુખભાઈએ અમેરિકા જઈને નામ બદલી નાખવાં હોય તો ક્યાં નામ રાખી શકે? કીર્તિભાઈનું નામ રૉબર્ટ હોય તો ચાલે. ટ્યુટોનિક ભાષાના આ રૉબર્ટ શબ્દનો અર્થ થાય છે &#8211; પ્રસિદ્ધિથી પ્રકાશિત થનાર. અમૂલખચંદ ઍન્થની બની શકે. લૅટિન ભાષામાં અમૂલ્ય એટલે ઍન્થની. હિબ્રુ શબ્દ સોલોમનનો અર્થ થાય છે શાંત અને હિબ્રુનો જ એક બીજો શબ્દ છે આઇઝેક જેને ન્યુટન અટકવાળા વિજ્ઞાનીએ જગવિખ્યાત બનાવી દીધો. આ આઇઝેક નો મતલબ છે હાસ્ય. ચાર્લી, જોર્જ, રૉબર્ટ અને રીટા જેવાં નામોમાં પણ ઢંગ હોય છે, ધડો હોય છે અને ખૂબસૂરત અર્થ પણ હોય છે. અમેરિકી અને યુરોપીય પ્રજાઓમાં મોટા ભાગનાં નામ હિબ્રુ, લૅટિન, ગ્રીક, ટ્યુટોનિક, ઍન્ગ્લો-સેકસન અને કૅલ્ટિક જેવી લાંબો ઈતિહાસ ધરાવતી ભાષાઓમાંથી આવે છે. આ વ્યક્તિવાચક નામના અર્થ પણ આપણી ભાષામાં પ્રચલિત એવા સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં નામ જેટલા જ રસિક છે. આપણા પ્રીતમલાલ તે હિબ્રુના ડેવિડભાઈ. ડેવિડ એટલે પ્રિય. નાનાલાલ એટલે લૅટિનમાં પૉલ અર્થાત નાનું. કાલિદાસ એટલે? લૅટિનમાં મૉરિસનો અર્થ થાય છે ઘેરા રંગનું. [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2010/07/16/kharekhar/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>લલ્લુપંજુ ડૉટ કૉમ</title>
		<link>http://saurabh-shah.com/2009/09/01/lallupanju/</link>
		<comments>http://saurabh-shah.com/2009/09/01/lallupanju/#comments</comments>
		<pubDate>Tue, 01 Sep 2009 14:37:28 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=2445</guid>
		<description><![CDATA[બેવકૂફોનાં ગામો વસવા લાગ્યાં છે. બાપદાદાઓ ખોટું કહેતા હતા કે ગાંડાઓનાં ગામ ન વસે. આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકો ઈન્ટરનેટના ઘંધામાંથી કમાઈ લેવા માટે પાગલ થઈ ગયા છે. ઈન્ટરનેટ સિવાય માણસનું ભાવિ અંધકારમય થઈ જશે એવી, બેવકૂફીભરી, ભવિષ્યવાણીઓ ઉચ્ચારાઈ રહી છે. ઈન્ટરનેટનો ઈ પણ જે જાણતો નથી તે અભણ ગણાશે એવો પ્રચાર થાય છે. ઈન્ટરનેટને કારણે અન્ય સમૂહમાધ્યમો, છાપાં-ટીવી જેવાં મીડિયા, ફેંકાઈ જશે એવું લખનારા લેખકો પડ્યા છે આ દુનિયામાં. તેઓ, માળા બેટાઓ, અખબારોનો મૃત્યુઘંટ વાગશે એવા લેખો શેમાં લખે છે? અખબારોમાં જ. વેબસાઈટ પર જઈને કોણ વાંચવાનું હતું? એક મિનિટ, એક મિનિટ. આ લખનાર ઈન્ટરનેટનો દુશ્મન છે એવું તમને લાગી રહ્યું છે.ના. અમે ઈન્ટરનેટના દોસ્ત છીએ. અ રિયલ ગુડ ફ્રેન્ડ. ઈન્ટરનેટ સાથે અમને પણ મોહબ્બત છે. પણ જિંદગીમાં એનું ક્યાં, કેટલું મહત્વ છે એ વિશે અમે જાગ્રત છીએ. આ લેખ અમારે ઈન્ટરનેટના ફાયદા વિશે નથી લખવો. તમને ખબર છે ફાયદાઓ. ગેરફાયદાઓ વિશે અમને પોતાને જ ઝાઝી ખબર નથી એટલે એ વિશે પણ નથી લખવાના અમે. અમારે જે ગાઈબજાવીને કહેવું છે તે મુદ્દાસર આ મુજબ છે: રોજની એક ડઝન નવી વેબસાઈટ્સ લૉન્ચ થાય છે. વેબસાઈટ શરૂ કરવી બચ્ચાના ખેલ છે. સાડા ચાર હજાર (હવે સાડા ચાર સો) રૂપિયા રજિસ્ટ્રેશનના અને બીજા પંદર-વીસ (હવે પાંચ) હજાર સર્વર પર ચડાવવાના. વેબ ડિઝાઈનિંગ [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/09/01/lallupanju/feed/</wfw:commentRss>
		<slash:comments>51</slash:comments>
		</item>
		<item>
		<title>વિવેક જાળવવામાં ને દંભ કરવામાં ફરક છે</title>
		<link>http://saurabh-shah.com/2009/07/21/vivek-ane-dambh/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/21/vivek-ane-dambh/#comments</comments>
		<pubDate>Tue, 21 Jul 2009 13:34:21 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1279</guid>
		<description><![CDATA[જે કામ કરવાની ઈચ્છા નથી તે કામ કરવું પડે ત્યારે દર વખતે એ દંભ નથી હોતો દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે. આવી અપેક્ષામાંથી મુક્ત થઈ જવાય તો વ્યક્તિએ દંભ રાખવાની જરૂર નહીં પડે. એવું થાય તો નિખાલસતાની પણ જરૂર નહીં પડે કારણ કે જ્યારે બધા જ બધું જ પ્રગટ થવા દેતા હોય ત્યારે જે પ્રગટે તે સહજ અને સ્વાભાવિક બની જાય. એને નિખાલસતાના વિશેષણથી શણગારવાની કોઈ જરૂર ન પડે. દંભની જેમ નિખાલસતાથી બચવાની પણ જરૂર હોય છે. કદાચ વધારે જરૂર છે કારણ કે સ્વભાવને નિખાલસતાનો ઢોળ ચડાવી દીધા પછી માણસો જન્મજાત દંભીઓ કરતાં વધુ દંભ ખૂબ સગવડપૂર્વક આચરી શકતા હોય છે. આવી નિખાલસતા વધુ ખતરનાક એટલા માટે કે દેખીતા દંભથી તો બચીને ચાલી શકીએ પણ નિખાલસતા પાછળ છૂપાયેલા દંભને ઓળખવો અને એનાથી બચવું વધારે કપરું કામ છે. નિખાલસતાનો ઉપયોગ સૌ કોઈ પોતપોતાની સગવડ મુજબ કરે છે. સો ટકા નિખાલસ માણસ મળવો અશક્ય છે. આત્મકથા લખતી વખત માણસ નિખાલસ થવાનો અને દિલ ખોલીને લખવાનો ઈરાદો ધરાવે છે પરંતુ આખરે તો દરેક આત્મકથા (દરેકેદરેક આત્મકથા, ગાંધીજી સહિતની દરેક વ્યક્તિની આત્મકથા ) માણસ પોતાની ઈમેજ બિલ્ડિંગની એષણા સાથે લખતો હોય છે. મણિલાલ નભુભાઈની આત્મકથામાં ચોંકાવનારી વિગતો વાંચીને લોકોએ એમને નિખાલસ કહ્યા, પરંતુ આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે  લેખકો જેટલું [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/21/vivek-ane-dambh/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>દેવના દીધેલ માથે પડેલ થઈ જાય ત્યારે</title>
		<link>http://saurabh-shah.com/2009/07/20/dev-na-didhel/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/20/dev-na-didhel/#comments</comments>
		<pubDate>Mon, 20 Jul 2009 15:59:45 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1757</guid>
		<description><![CDATA[બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો પણ જોખમી ઉપાય છે બાળકો પાછળ તમે ગમે એટલી મહેનત લો છતાંય મોટા થઈને તેઓ મા-બાપ જેવાં જ બની જતા હોય છે. તમારાં બાળકોને તમે ગમે એટલા સારા સંસ્કાર આપવાની કોશિશ કરશો, છેવટે તો એ તમારા જેવાં જ બનવાનાં! દરેક માતાને , પિતાને હોંશ હોય છે કે પોતાનું સંતાન પોતાના કરતાં વધુ સારું બને, કમસે કમ પોતાની નબળાઈઓ અને પોતાના વ્યક્તિત્વની ખામીઓ એનામાં ઉતરી ન આવે. આપણી અનેક ખામીઓમાંની એક છે-  જીદ જે વખત જતાં પ્રેસ્ટિજ ઈસ્યુ, વટનો સવાલ વગેરેમાં પરિણમે છે. બાળકો માટેની સૌથી મોટી ફરિયાદ હોય છે કે એ જીદ્દી છે. બાળહઠ સાથે પનારો પાડવો આસાન નથી. બાળકો એકબીજા સાથે રમતા હોય અને બીજું જેનાથી રમે છે એ જ રમકડું પોતાને જોઈએ છે. એવી જીદથી માંડીને જમતી વખતે અમુક વાનગી ખાવી અને અમુક ન જ ખાવી એવી ધરાર જીદ પકડવી કે પછી રસ્તે ચાલતાં દુકાનમાં કે ફેરિયા પાસે જોયેલી કોઈ વસ્તુ અપાવી દેવા માટેની હઠ પકડવા સુધીની અનેક જીદોનો મા-બાપ તરીકે તમે સામનો કર્યો છે અથવા તો બાળક તરીકે તમે એવી જીદ કરી ચૂક્યા  છો. બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો, સરળ, પણ અત્યંત જોખમી ઉપાય છે. ખાધે પીધે સુખી એવાં કુટુંબોમાં મા-બાપની [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/20/dev-na-didhel/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>સંતાનોની લાગણીઓ કેવી રીતે સમજીશું</title>
		<link>http://saurabh-shah.com/2009/07/18/santano-ni-laganioe-kevi-rite-samajishun/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/18/santano-ni-laganioe-kevi-rite-samajishun/#comments</comments>
		<pubDate>Sat, 18 Jul 2009 06:41:26 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1759</guid>
		<description><![CDATA[બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે ઇમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ, નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. સાયકૉલોજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે કે એક ફાંટા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વિદ્યાશાખારૂપે લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. એક વિષય તરીકે શાળાના પહેલા ધોરણથી જ એ શીખવવામાં આવે અને ઓછામાં ઓછું બારમા ધોરણ સુધી આ વિષય ફરજિયાત શીખવવામાં આવે. શક્ય હોય તો સ્નાતક કક્ષાએ પણ એને ફરજિયાત અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવે. ગણિતમાં એક વત્તા એક ગણતાં શીખવવામાં આવે અને ભૂગોળમાં ટુંડ્ર પ્રદેશની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવે અને પાણીપતના યુદ્ધમાં હારનાં કારણો શીખવવામાં આવે એમ લાગણીશાસ્ત્રમાં શું શું શીખવવામાં આવે? સૌથી પહેલાં બાળકને પોતાની લાગણીઓ ઓળખતાં શિખવાડાય. આ – ગુસ્સો – કહેવાય. આ – હતાશા – છે. કે આનંદના આટલા પ્રકાર છે. બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે. કોઈકને ભેટી પડવાનું મન થવું એ જેટલું સાહજિક છે એટલી જ સ્વાભાવિક છે કોઈના માથામાં બેટ મારીને એને લોહીલુહાણ કરી નાખવાની લાગણી. પણ જેમ કોઈકને ભેટી પડવાની ઇચ્છા થાય તો તમે એમ કરતા નથી (મોટા થયા પછી, ધેટ ઇઝ) કે કરી શકતા નથી, એ જ રીતે કોઈના [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/18/santano-ni-laganioe-kevi-rite-samajishun/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>ટીનએજ સંતાનો અને સેક્સ એજ્યુકેશન</title>
		<link>http://saurabh-shah.com/2009/07/16/umarna-ek-eva-valank-par/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/16/umarna-ek-eva-valank-par/#comments</comments>
		<pubDate>Thu, 16 Jul 2009 13:02:32 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1732</guid>
		<description><![CDATA[જાતીય શિક્ષણ આપતી વખતે બાળકના મનમાંથી બકરું કાઢતાં ક્યાંક ઊંટ ન પેસી જાય એનું ધ્યાન કોણ રાખશે. મા-બાપને વહેમ હોય છે કે સેક્સ વિશેની વાતોથી દૂર રાખીને અમે અમારાં છોકરાઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું ? એનાં પડીકાં કયા બજારમાં મળે છે? રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવાની ટેવ પાડવી કે કદીય જુઠ્ઠું ન બોલવાની શિખામણો આપ્યા કરવી એનો અર્થ સંતાનોને સંસ્કાર આપવા એવો થતો હોત તો આજની તારીખે સોમાંથી નવ્વાણું ગુજરાતીઓ સંસ્કારી હોવા જોઈએ. પણ એવું નથી. સંતાનોને સંસ્કારી બનાવી શકાય એ એક ભ્રમણા છે. મા-બાપ પોતે સંતાનોને સંસ્કારી બનાવી શકે છે એ એનાથીય મોટી ભ્રમણા છે. દરેક બાળક પોતાની આસપાસનું વાતાવરણ સૂંઘતું રહે છે. એના સબ–કૉન્શ્યસમાં નાનામાં નાની હકીકતો નોંધાતી રહે છે. આખા કુટુંબને રોજ રાત્રે પ્રાર્થનાઓ ગવડાવતો બાપ દિવસ દરમ્યાન કેટલી, કેવી અને કઈ કઈ બદમાશીઓ કરતો હોય છે એની જાણ સંતાનોને, કોણ જાણે કેમ પણ, થઈ જતી હોય છે. નમ્રતા, વિવેક, ત્યાગ, ભક્તિ અને પ્રામાણિકતાના પ્રેરક પ્રસંગો સુણાવતી માતા પાડોશણ સાથે, જેઠાણી સાથે કે બહેનપણી સાથે કેટલી લુચ્ચાઈ અને શયતાનિયતથી પેશ આવતી હોય છે એની ખબર દીકરીને સૌથી પહેલાં પડી જતી હોય છે. મા-બાપ સંતાનને સંસ્કારી કે અસંસ્કારી નથી બનાવતાં, બાળકો ખુદ પોતાની આસપાસનું વાતવરણ સુંઘતાં રહીને, પોતાની ચોતરફનાં સ્પંદનો ઝીલતાં રહીને મોટપણે સંસ્કારી [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/16/umarna-ek-eva-valank-par/feed/</wfw:commentRss>
		<slash:comments>11</slash:comments>
		</item>
		<item>
		<title>માણસે ક્યાં સુધી જીવવું</title>
		<link>http://saurabh-shah.com/2009/07/15/manase-kyaan-sudhi-jeevavu/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/15/manase-kyaan-sudhi-jeevavu/#comments</comments>
		<pubDate>Wed, 15 Jul 2009 14:47:47 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1754</guid>
		<description><![CDATA[માણસ માટે મરવાની ઉંમર કઈ ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં કે ફિલ્મ ઉદ્યોગમાં શો ફરક પડ્યો હોત ? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઇતિહાસ કેટલો જુદો હોત ભગવાને મરવાનું મરજિયાત  રાખ્યું હોત તો આજે તમે તમારા દાદાના દાદા સાથે બેઠાં બેઠાં ટીવી પર જાતભાતની સિરિયલો જોતા હોત. વિજ્ઞાને માણસનું આયુષ્ય વધારી મૂક્યું છે. એક જમાનામાં પચાસની ઉપર પહોંચેલો આદમી ખર્યું પાન ગણાતો. આજે સાઠ – સિત્તેરની ઉંમરે અવસાન પામતા માણસના ખબર મળતાં સગાંવહાલાં વિચારે છે કે આ કંઈ મરવાની ઉંમર ન કહેવાય. માણસ માટે મરવાની ઉંમર કઈ ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં કે ફિલ્મ ઉદ્યોગમાં શો ફરક પડ્યો હોત ? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઇતિહાસ કેટલો જુદો હોત ? અસલના જમાનામાં તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરનાં વાસણો આવતાં. એ ખખડતાં ત્યારે મંજુલ રણકો સંભળાતો. આજકાલ કટાઈ જાય એવાં સ્ટેઈનલેસ સ્ટીલનાં, નૉન સ્ટિક મટિરિયલનાં અને એલ્યુમિનિયમનાં વાસણો આવે છે. એ ખખડે છે ત્યારે બોદો અવાજ સંભળાય છે વિજ્ઞાનને કારણે વૃદ્ધાવસ્થા હવે પ્રોબ્લેમ નથી રહી. દરેક રોગનો ઈલાજ છે. [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/15/manase-kyaan-sudhi-jeevavu/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી</title>
		<link>http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/#comments</comments>
		<pubDate>Tue, 14 Jul 2009 09:28:36 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1730</guid>
		<description><![CDATA[માણસે ક્યારે સ્વીકારી લેવાનું  કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું અને જે નથી મળ્યું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી એ પણ સિદ્ધ થઈ ગયું? કેટલી જિંદગી જિવાતી હોય છે એક આયુષ્ય દરમ્યાન? એક? બે? કે ત્રણ? ઓછામાં ઓછી ચાર. શાસ્ત્રોએ આપેલા ચાર વર્ણાશ્રમોની વ્યવસ્થાને નવેસરથી ગોઠવી લેવી જોઈએ. બ્રહ્નચર્યાશ્રમથી સન્યસ્તાશ્રમ સુધી પહોંચવાની યાત્રાના આરંભિક તથા આખરી અને વચલા માઈલસ્ટોન્સને થોડા જુદા નામથી ઓળખી લેવા જોઈએ. એ માણસ નસીબદાર છે જે આ ચારેચાર જિંદગીઓને એક જ આયુષ્યમાં ભરપૂર જીવી જાય છે. કઈ જિંદગીઓ છે એ ? આયુષ્યનો પહેલો ગાળો કૌતુકાશ્રમનો છે અથવા તો મુગ્ધાશ્રમનો. બાર–તેર વર્ષની ઉંમર સુધી તમને કોઈનીય સાથે કુટિલ થતાં આવડતું નથી, કોઈની કુટિલતાનો સામનો કરતાં પણ આવડતું નથી. જિંદગીનાં તમામ સત્યોને તમે યથાતથ સ્વીકારી લો છો. દર્શક કે પ્રેક્ષક બનીને બધું જોવું છે, કશા પર આધિપત્ય જમાવવું નથી. દરિયાકિનારે રેતીનો ખૂબસૂરત કિલ્લો બનાવ્યો અને ડૅડીએ કહ્યું કે ચાલો, હવે ઘરે&#8230; ત્યારે એ કિલ્લો ઘરે લઈ જવાની જીદ બાળક કરતું નથી. એના માટે આ દુનિયામાં કશું જ પોતાનું નથી અથવા બધું જ એનું પોતાનું છે. માલિકીભાવ નહીં પણ સ્વ–ભાવ,  પોતાના હોવાપણાનો ભાવ, એનામાં છે. કશુંક મેળવવાની જીદ વધુમાં વધુ ત્રણ મિનિટ કે ત્રણ દિવસ સુધી ચાલે છે. પછી એ જીદ ઓગળી જાય છે. કશુંય માપવા [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/feed/</wfw:commentRss>
		<slash:comments>8</slash:comments>
		</item>
		<item>
		<title>પત્રો લખવા, ફોન કરવા, રૂબરૂ મળવું</title>
		<link>http://saurabh-shah.com/2009/07/13/patro-lakhavaphone-karavarubaru-malavun/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/13/patro-lakhavaphone-karavarubaru-malavun/#comments</comments>
		<pubDate>Mon, 13 Jul 2009 16:29:32 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1288</guid>
		<description><![CDATA[વાચકો જેમ અલગ અલગ માથાંના હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે લેખકોએ વાચકોના દરેક પત્રનો જવાબ લખીને મોકલવો કે નહીં? ઉમાશંકર જોશી ભાગ્યે જ કોઈના પત્રનો જવાબ આપતા. આમ છતાં ક્યારેક ઉમાશંકર એમના કેટલાક નિકટના મિત્રોને પણ લખતા જે ગુજરાતી સાહિત્યનો એક અંશ બની જતા. લેખકોએ વાચકોના પત્રોનો જવાબ આપવો કે નહીં? કેટલાક લેખકો અત્યંત ચોકસાઈપૂર્વક પોતાને મળતી ટપાલના જવાબમાં ટૂંકો તો ટૂંકો પણ પત્ર લખતા હોય છે. કાં તો સાદો પોસ્ટકાર્ડ હોય, કાં મોંઘા ભાવની સ્ટેશનરી હોય. કેટલાક લેખકો રોજ મળતી ટપાલમાંથી ખરેખર અલગ તરી આવતી એકાદ બે ટપાલનો ઉત્તર આપતા હોય છે. કેટલાક પોતાને મળતી તમામ ટપાલ વાંચીને એને બાજુએ મૂકી દેતા હોય છે. કેટલાક લેખકોને વાચકોની ટપાલ ઉઘાડવાની કે ઉઘાડીને વાંચવાની ફુરસદ કે ઈચ્છા– આ બેઉ નથી હોતાં. વાચકો જેમ અલગ અલગ માથાનાં હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે. ચન્દ્રકાન્ત બક્ષી, રજનીકુમાર પંડ્યા અને પ્રિયકાંત પરીખના વાચકો પાસે એમના પ્રિય લેખકોએ લખેલા પત્રો તમને મળી આવશે. હરીન્દ્ર દવે ભાગ્યે જ એમના વાચકોને વળતો જવાબ લખતા. નિરંજન ભગત ચાહકોના પત્રોના જવાબ આપે છે. મોટા લેખકોમાંથી જેઓ ગાંધી યુગના હતા એમાનાં લગભગ તમામ સૌજન્ય ખાતર વળતા ઉત્તરરૂપે બે લીટીનું પોસ્ટકાર્ડ વાચકને લખી દેતા. નવી પેઢીના લેખકોમાંથી અશોક દવે એવા લેખક છે, [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/13/patro-lakhavaphone-karavarubaru-malavun/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>તમારું જ છે, તમને અર્પણ</title>
		<link>http://saurabh-shah.com/2009/07/11/tamaru-j-chhe-tamane-arpan/</link>
		<comments>http://saurabh-shah.com/2009/07/11/tamaru-j-chhe-tamane-arpan/#comments</comments>
		<pubDate>Sat, 11 Jul 2009 14:28:19 +0000</pubDate>
		<dc:creator>સૌરભ શાહ</dc:creator>
				<category><![CDATA[બેસ્ટ ઑફ સૌરભ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1756</guid>
		<description><![CDATA[લેખકો માટે પોતાના પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં સ્વજનો યાદ આવે કે સમજ ન પડે કોને અર્પણ કરવું પુસ્તકોનાં અર્પણની પણ એક સૃષ્ટિ હોય છે. આખા કોરા પાના પર ક્યારેક એક જ શબ્દ હોય- અમુકને, અને લેખકના મનની કેટલી બધી વાત કહેવાઈ જાય. લેખકો માટે પોતાનાં પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં બધાં સ્વજનો યાદ આવી જાય કે સમજ ન પડે કોને અર્પણ કરવું. ક્યારેક સ્વજનોમાંથી એકેય વ્યક્તિ નિકટ ન લાગે  જેને પોતાનું સર્જન અર્પણ કરી શકાય. લેખક કે કવિના સર્જનકાળના આરંભનાં પુસ્તકોમાં સૌથી વધુ અર્પણ માતા–પિતાને થયાં છે. ત્યારબાદ પત્નીને. ચાળીસના દાયકામાં પન્નાલાલ પટેલે ‘મળેલા જીવ’ નવલકથા ‘સ્વર્ગસ્થ બાપુને તથા બાને &#8211; ’ અર્પણ કરી હતી. એંશીના દાયકામાં ઉદયન ઠક્કર, હેમન શાહ , મુકુલ ચોક્સી જેવા યુવાન કવિઓએ પણ પોતપોતાના કાવ્યસંગ્રહ માતાપિતાને કે બેમાંથી એકને અર્પણ કર્યા હતા. લગભગ દરેક સાહિત્યકારે પત્નીને એક પુસ્તક અર્પણ કર્યું છે. ઇરવિંગ વૉલેસની મોટા ભાગની નવલકથાઓ પત્ની સિલ્વિયા વૉલેસને અર્પણ થઈ છે. ફાધર વાલેસ અને રજનીશજીએ પોતાનાં પુસ્તકો કોઈનેય અર્પણ નથી કર્યાં. સંતાનોને પણ અર્પણ થતાં હોય છે. વિઠ્ઠલ પંડ્યાએ ‘બુકાની બાંધેલા રસ્તા’ નવલકથા એમના પુત્રો ચિ. અશોક, ચિ. રાજેશ, ચિ. સંજયને અર્પણ કરી છે. ગુણવંત શાહનો નિબંધસંગ્રહ ‘વિચારોના વૃંદાવનમાં’ એમનાં સંતાનો મિની, અમી તથા વિવેકને [...]]]></description>
		<wfw:commentRss>http://saurabh-shah.com/2009/07/11/tamaru-j-chhe-tamane-arpan/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
	</channel>
</rss>
