બેસ્ટ ઑફ સૌરભ શાહ
કેટલાંય લગ્નો ત્રીજા દિવસની શાકભાજી જેવાં હોય છે. કાછિયો એના પર ગમે એટ્લું પાણી છાંટે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો મળતો નથી… બે વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે, તૂટ્યા પછી પણ જે ટકી રહે તે સંબંધ નહીં, વ્યવહાર છે…
લલ્લુપંજુ ડૉટ કૉમ
બેવકૂફોનાં ગામો વસવા લાગ્યાં છે. બાપદાદાઓ ખોટું કહેતા હતા કે ગાંડાઓનાં ગામ ન વસે. આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકો ઈન્ટરનેટના ઘંધામાંથી કમાઈ લેવા માટે પાગલ થઈ ગયા છે. ઈન્ટરનેટ સિવાય માણસનું ભાવિ અંધકારમય થઈ જશે એવી, બેવકૂફીભરી, ભવિષ્યવાણીઓ ઉચ્ચારાઈ રહી છે. ઈન્ટરનેટનો ઈ પણ જે જાણતો નથી તે અભણ ગણાશે એવો પ્રચાર થાય છે.... »
વિવેક જાળવવામાં ને દંભ કરવામાં ફરક છે
જે કામ કરવાની ઈચ્છા નથી તે કામ કરવું પડે ત્યારે દર વખતે એ દંભ નથી હોતો દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે. આવી અપેક્ષામાંથી મુક્ત થઈ જવાય તો વ્યક્તિએ દંભ રાખવાની જરૂર નહીં પડે. એવું થાય તો નિખાલસતાની પણ જરૂર નહીં પડે કારણ કે જ્યારે બધા જ બધું જ પ્રગટ થવા દેતા હોય... »
દેવના દીધેલ માથે પડેલ થઈ જાય ત્યારે
બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો પણ જોખમી ઉપાય છે બાળકો પાછળ તમે ગમે એટલી મહેનત લો છતાંય મોટા થઈને તેઓ મા-બાપ જેવાં જ બની જતા હોય છે. તમારાં બાળકોને તમે ગમે એટલા સારા સંસ્કાર આપવાની કોશિશ કરશો, છેવટે તો એ તમારા જેવાં જ બનવાનાં! દરેક માતાને ,... »
સંતાનોની લાગણીઓ કેવી રીતે સમજીશું
બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે ઇમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ, નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. સાયકૉલોજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે કે એક ફાંટા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વિદ્યાશાખારૂપે લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ.... »
ટીનએજ સંતાનો અને સેક્સ એજ્યુકેશન
જાતીય શિક્ષણ આપતી વખતે બાળકના મનમાંથી બકરું કાઢતાં ક્યાંક ઊંટ ન પેસી જાય એનું ધ્યાન કોણ રાખશે. મા-બાપને વહેમ હોય છે કે સેક્સ વિશેની વાતોથી દૂર રાખીને અમે અમારાં છોકરાઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું ? એનાં પડીકાં કયા બજારમાં... »
માણસે ક્યાં સુધી જીવવું
માણસ માટે મરવાની ઉંમર કઈ ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં કે ફિલ્મ ઉદ્યોગમાં શો ફરક પડ્યો હોત ? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઇતિહાસ કેટલો જુદો હોત ભગવાને મરવાનું મરજિયાત રાખ્યું હોત તો... »
તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી
માણસે ક્યારે સ્વીકારી લેવાનું કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું અને જે નથી મળ્યું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી એ પણ સિદ્ધ થઈ ગયું? કેટલી જિંદગી જિવાતી હોય છે એક આયુષ્ય દરમ્યાન? એક? બે? કે ત્રણ? ઓછામાં ઓછી ચાર. શાસ્ત્રોએ આપેલા ચાર વર્ણાશ્રમોની વ્યવસ્થાને નવેસરથી ગોઠવી લેવી જોઈએ. બ્રહ્નચર્યાશ્રમથી સન્યસ્તાશ્રમ... »
પત્રો લખવા, ફોન કરવા, રૂબરૂ મળવું
વાચકો જેમ અલગ અલગ માથાંના હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે લેખકોએ વાચકોના દરેક પત્રનો જવાબ લખીને મોકલવો કે નહીં? ઉમાશંકર જોશી ભાગ્યે જ કોઈના પત્રનો જવાબ આપતા. આમ છતાં ક્યારેક ઉમાશંકર એમના કેટલાક નિકટના મિત્રોને પણ લખતા જે ગુજરાતી સાહિત્યનો એક અંશ બની જતા. લેખકોએ વાચકોના પત્રોનો જવાબ આપવો કે... »
તમારું જ છે, તમને અર્પણ
લેખકો માટે પોતાના પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં સ્વજનો યાદ આવે કે સમજ ન પડે કોને અર્પણ કરવું પુસ્તકોનાં અર્પણની પણ એક સૃષ્ટિ હોય છે. આખા કોરા પાના પર ક્યારેક એક જ શબ્દ હોય- અમુકને, અને લેખકના મનની કેટલી બધી વાત કહેવાઈ જાય.... »
વરસાદ તમને નડે છે કે તમે વરસાદને
મુંબઈનો વરસાદ માણવો હોય તો છત્રી ઘરે મૂકી દેવાની. એક વિન્ડચીટર સાથે લઈ લેવાનું અને ગોલ્ફ શૉર્ટ્સ અથવા બર્મ્યુડા પહેરીને નીકળી પડવાનું. બાબુલનાથથી ચોપાટી આવીને ક્વીન્સ નૅકલેસના છેક છેવાડે દેખાતી ઑબેરોય તરફ ચાલ્યા કરવાનું. ન તો આ પ્રત્યક્ષ મિલનની ઝંખનાની સિઝન છે, ન વિરહની આગમાં સળગવાની. ચોમાસું એકલા રહેવાની ઋતુ છે, જલસાથી એકલા રહેવાની.... »
