ઊંઝા જોડણીવાળા કઈ રીતે છેતરે છે તમને

June 18, 2009

ઊંઝા નામના ઇસબગુલના ગામમાંથી જોડણીની તોડણી કરવા તૂટી પડેલાઓ એક જ ઈ અને એક જ ઉ નું સિંગલ સિંગલ મંજીરું વગાડ્યા કરે છે જેમાંથી કોઈ ધ્વનિ નીકળતો નથી.

ઊંઝાથી અલગ જોડણીસ્તાનની માંગણી કરનારાઓ હવે આખી ગુજરાતી ભાષા પર કબજો જમાવવા માગે છે. ‘ગુજરાતી ભાષાને બચાવો’ની ઝુંબેશમાં જોડાઈને હવે આ આંદોલનને મોનોપલાઈઝ કરીને તેઓ એક ઈ અને એક ઉનો એજન્ડા આગળ વધારવા માગે છે.

કોઈ ઊંઝાવાદી પોતાના પત્ર કે લેખમાં જોડણીની તોડફોડ કરીને લખવા માગતું હોય તો ભલે લખે., બ્લોગ પર પણ ભલે લખે અને એવી વિકૃત જોડણીઓ ધરાવતી ચોપડીઓ છાપવા કોઈ પ્રકાશક તૈયાર થતા હોય તો ભલે છપાવે,. પરંતુ સર્વમાન્ય, સ્ટાન્ડર્ડ અને ગુજરાત વિદ્યાપીઠ પ્રકાશિત સાર્થ ગુજરાતી જોડણીકોશના આધારે ચાલતી જોડણીમાં ફેરફારો કરાવવાનો હક્ક તેમને બિલકુલ નથી.

ઊંઝાવાળા તમારાં લખાણોને અને અભિપ્રાયોને મારી મચડીને, વિકૃત કરીને, વાપરવામાં ઉસ્તાદ છે. જોડણીમાં કે ભાષામાં ક્રમશ: થતા ફેરફારો સ્વીકારવા જોઇએ અને અગાઉની ગુજરાતી ભાષામાં અને અત્યારની ગુજરાતી ભાષામાં કેવા ફેરફારો આવ્યા છે તે દર્શાવતો એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યા પછી બીજે દિવસે એ સિરીઝમાં મેં સમજાવ્યું હતું કે ઊંઝા જોડણી શા માટે ખોટી છે. ઊંઝાવાળા મારા બેટાઓએ મને પૂછાવ્યું, ‘તમારી આ સિરીઝ અમને ગમી. અમે આ વિષય પરના પુસ્તકમાં તમારી સિરીઝ વાપરીએ?’

મેં કહ્યું, ‘ભલે.’

એમણે શું કર્યું? પેલો પહેલો લેખ વાપર્યો. બાકીનું બધું કાઢી નાખ્યું. છાપ શું પડે? આ સૌરભ શાહ પણ ઊંઝાવાળા છે. ખોટું, તદ્દન ખોટું. આ પ્રકારની બદમાશી, છેતરપિંડી, ફ્રોડ- જે ગણો તે માત્ર મારી સાથે જ નથી થઈ. ગુજરાતી ભાષા અને જોડણીની પવિત્રતાના પાઠ હું જેમની પાસેથી શીખ્યો છું તે સ્વ. યશવંત દોશી મારા પ્રથમ વિદ્યાગુરુ. ૧૯૭૮માં મેં ‘ગ્રંથ’ અને પરિચય પુસ્તિકા’માં એમના હાથ નીચે નોકરી કરી. ભાષાની શુદ્ધિ, સાદગી અને એનો વૈભવ- મને એમની પાસેથી શીખવા મળ્યાં.

સ્વ. યશવંત દોશીએ છેક ૧૯૬૦ના અરસામાં પરિચય ટ્રસ્ટની એક ‘પરિચય પુસ્તિકા’ લખી હતી: ‘સાચી જોડણી અઘરી નથી.’ ઊંઝાવાળાઓ પ્રચાર કરતા ફરતા હતા કે યશવંતભાઈ દોશી પણ અમારી સાથે છે, તેઓ પણ એક ઈ અને એક ઉ માં માને છે. એમના આ પ્રચારથી ઘણા લોકો ગેરમાર્ગે દોરવાઈ ગયા હતા. યશવંતભાઈ જેવી વ્યક્તિ ઊંઝાવાળાને સમર્થન આપે એટલે અલ્ટિમેટ સર્ટિફિકેટ કહેવાય.

હકીકત શું હતી? યશવંતભાઈએ પોતે આ અપપ્રચાર સામે જાહેર ખુલાસો કરવો પડ્યો હતો. ૧૯૯૭ની બીજી સપ્ટેમ્બરે યશવંતભાઈની સહી સાથે એમના જ હસ્તાક્ષરમાં લખાયેલો ખુલાસો અક્ષરશ: આ મુજબ છે:

“મુંબઈમાં રચાયેલા ગુજરાતી જોડણી મંચ વિષે કેટલીક ગેરસમજ ફેલાઈ છે તેમ જણાતાં થોડોક ખુલાસો કરવાની જરૂર લાગી છે. આ મંચ જોડણીના નિષ્ણાતોને નહિ પણ જોડણીમાં સુધારણા ઇચ્છતી કેટલીક વ્યક્તિઓનો બનેલો છે. તેનો ઉદ્દેશ જોડણીસુધારણા કરવાનો છે. આ માટે તે લોકમત જાણવાનો, નિષ્ણાતો દ્વારા ચર્ચાવિચારણા કરાવવાનો અને નિષ્ણાતોએ કરેલા નિર્ણયોમાં ભાષા સાથે નિસબત ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓની સંમતિ મેળવવાનો પ્રયત્ન કરશે. ખાસ સ્પષ્ટતા એ કરવાની છે કે આ મંચના સભ્યો પોતે જોડણીના સુધારા સૂચવવાના નથી. તે માટે તો તબક્કાવાર નિષ્ણાત-સમિતિ નિમાશે અને તેમાં સૌનો સાથ મંગાશે. મંચ આ કામનો પ્રારંભ કરનાર અને તેને વેગ આપનાર સંસ્થા છે.”

સાંભળ્યું? ઊંઝાના બગલબચ્ચા જેવા આ ‘ગુજરાતી જોડણી મંચ’ના સભ્યો પોતે જોડણીના સુધારા સૂચવવાના નથી. યશવંતભાઈએ કરેલી સ્પષ્ટતા તે વખતે કેટલાંક અખબારોમાં પ્રગટ થઈ હોવા છતાં મંચના મંત્રી કે સભ્ય તરફથી વારંવાર સૂચનો થતાં રહ્યાં છે. ગુજરાતી જોડણી મંચ તરફથી મંત્રી ગુલાબ ભેડાની સહીથી ૭-૯-૧૯૯૭ના રોજ પ્રગટ થયેલા એક પરિપત્રમાં યશવંત દોશીએ પોતાની લાલ પેનથી પંદર (એકડે પાંચડે ૧૫) ભૂલો, જોડણીની તેમ જ પ્રૂફરીડિંગની તેમ જ ભાષાની સુધારી છે. સાત નાનકડા ફકરાના એક પાનાના પરિપત્રમાં પંદર ભૂલો જેના મંત્રીશ્રી કરતા હોય એ મંડળને (કે એના ગોડફાધરોને) યશવંત દોશીને પ્રમુખ બનાવી, એમનું નામ વટાવી ખાવાનો કોઈ હક્ક નથી.

ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ તરફથી શરૂ થયેલા ’સમકાલીન’ દૈનિકના સ્થાપકતંત્રી અને ગુજરાતી પત્રકારત્વમાં ‘ગાંધી યુગ’ના સર્જક સ્વ. હસમુખ ગાંધીએ ઊંઝામાં એક જ ઈ અને એક જ ઉ વાળી બેઠક યોજાઈ તે પછી, લખ્યું હતું: ‘હું જે પેપરમાં લખું છું તે જો આવી પદ્ધતિ દાખલ કરશે તો હું શું કરીશ? લખવાનું બંધ કરી દઈશ.’

હસમુખ ગાંધીને વિદ્યાગુરુ માનનારાઓમાંનો એક, આપનો વિશ્વાસુ, શું કરશે? તમને હજુ ખબર નથી, દોસ્ત.

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

28 Responses to ઊંઝા જોડણીવાળા કઈ રીતે છેતરે છે તમને

  1. Unadkat on June 18, 2009 at 6:34 PM

    સ્વ. યશવંત દોશી અને સ્વ. હસમુખ ગાંધી વાળી, કાળની ગર્તામાં સરી ગયેલી, વાત પેટાવી (ગુજરાતી નેટ જગતમાં) ઊઁઝાજોડણીનો અંધારો ખૂણો થોડો અજવાળ્યો.આંધારા ખૂણે જામેલા ઝાળા-બાવાઓ દેખાડી, આ મશાલ દરેક સ્વચ્છ આંખને ઉજાળશે એવી આશા જાગે છે.

  2. વિવેક ટેલર on June 18, 2009 at 6:41 PM

    આદરણીય સૌરભભાઈ,

    આપ ગુજરાતી બ્લૉગ-વિશ્વમાં પધાર્યા એ ગમ્યું. પણ આપ અહીં આવીને આ ‘લાઈવ-વાયર’ને સીધો જ હાથ લગાડશો એવી કલ્પના નહોતી. ખેર, સારા પત્રકારની આ જ નિશાની છે…

    આપના આ લેખને મારું સંપૂર્ણ અનુમોદન છે. સાર્થ જોડણી મને કેમ ગમે છે અને ઊંઝામાં મને ક્યાં વાંધા પડે છે એની ચર્ચામાં નહીં ઉતરું પણ જ્યાં સુધી આપ જેવા સાર્થ જોડણીના એકપણ ચાહક મને માર્ગમાં મળતા રહેશે ત્યાં સુધી એમને સમર્થન આપવાની મારી નૈતિક ફરજમાંથી પદચ્યુત નહીં થાઉં…

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  3. Chirag Patel on June 18, 2009 at 8:08 PM

    Really, nice to know the facts and history behind UNJHAA.

    Being an engineer, I welcome simplicity not at the cost of losing identity. So, it is one’s personal judgment on the matter. I write in SAARTH, UNJHAA and other script reforms per my experiments. Common people do not care for such matters. They write their own way without hesitation. આપડે is acceptable to આપણે for majority of them. If we can do something about simplifying teaching Gujarati, we all will have unanimous voice.

    • સૌરભ શાહ on June 18, 2009 at 9:57 PM

      Chirag,
      Thanks for your thought provoking comment.

      આપડે is not acceptable.
      It is the pronounciation of either an illiterate or a careless person or a person who prefers to speak in his provincial dialect.
      If one wishes to use this pronounciation in his novel’s dialogue etc. it will certainly enhance the flavour of his writing. But in the normal written Gujarati, only આપણે is acceptable.
      In an article written for my daily column ‘Good Morning’ in ‘Mumbai Samachar’ way back on 25th February 1999, I had written about this topic and the heading of that piece it self was: ટેસણ, ઈસ્ટેસન અને સટેસન:બોલાય એવી જ ભાષા લખાય?

      ભાઈ ચિરાગ, તમે કે પછી અન્ય ઊઝાવાદીઓ (તમે ભલે કમેન્ટમાં લખ્યું કે તમે સાર્થ, ઊંઝા અને બીજા તમામ લિપિ સુધારામાં માનો છો પણ તમારો બ્લોગ જોતાં ખ્યાલ આવે છે કે તમે કટ્ટર ઊંઝાવાદીઓના સમર્થક છો.તમે ખુદ તમારા નામની સાથે ચેડાં કરીને એની જોડણી ’ચિરાગ’માંથી બદ્લીને ઊંઝાવાદી ’ચીરાગ’ કરી નાખી છે) જાણે-અજાણે લોકોને મદદ કરવાને બહાને, સહેલી જોડણી વાપરવાને બહાને, ફોસલાવીને ઊંઝાના રવાડે ચડાવી દો છો ત્યારે તમારા અમેરિકામાં ડ્ર્ગ્સના રવાડે ચડી ગયેલી જનરેશન જે રીતે પાયમાલ થઈ ગઈ તે જ રીતે આ ઇસબગુલવાદીઓની લત જેને લાગી ગઈ છે એ લોકો પણ પોતે બરબાદ થશે ભાષાની પણ બરબાદી નોતરશે.

      It’s highly irrrsponsible,frivolous and pompous of somebody sitting in the U.S. of A. and pontificating that “If we can do something about simplifying teaching Gujarati…”

      Would you ever dare to suggest people around you to change the spelling of ‘OUR’ to something else? The non-white people of America may speak ‘OUR’in a thousand different ways but the standard dictionary spelling remains one and that is : OUR.

      I am writing many more pieces on this very important topic. So let me stop here and wish you all the very best. May your blog start using standardised spellings of the most beautiful language on this earth- Gujarati!

      Love.

      -Saurabh Shah

  4. Nirav on June 19, 2009 at 12:03 AM

    Sir,You are Absolutely Right

    The Unza Jodani People Are Rule-Breakers in All Sense

    By Reading Your Article I think That They Are Plagiarist in some sense Too…

    BTW

    Today I Discuss this topic with My Father in US Too And he is also opposing

    My Father Added one problematic Word That What Happen to

    દિન and દીન

    if Unza Jodani comes in Existence

    -Nirav

  5. જયદીપ ટાટમીયા on June 19, 2009 at 10:21 AM

    સૌરભભાઈ,
    ‘ઊંઝા’ પ્રત્યેનો આપનો આક્રોશ ગમ્યો. અને ભાઈ વિવેકભાઈ ‘લાઈવ-વાયર’ને અડવામાં જ આનંદ અને રોમાંચ છે એ તો આપ સુપેરે જાણો છો. સાચી જોડણીના પુરસ્કર્તાઓ જ બહુમતીમાં છે અને રહેશે…

    - જયદીપ

  6. Pinki on June 19, 2009 at 10:51 AM

    તમે લખો છો: “કોઈ ઊંઝાવાદી પોતાના પત્ર કે લેખમાં જોડણીની તોડફોડ કરીને લખવા માગતું હોય તો ભલે લખે., બ્લોગ પર પણ ભલે લખે અને એવી વિકૃત જોડણીઓ ધરાવતી ચોપડીઓ છાપવા કોઈ પ્રકાશક તૈયાર થતા હોય તો ભલે છપાવે,. પરંતુ સર્વમાન્ય, સ્ટાન્ડર્ડ અને ગુજરાત વિદ્યાપીઠ પ્રકાશિત સાર્થ ગુજરાતી જોડણીકોશના આધારે ચાલતી જોડણીમાં ફેરફારો કરાવવાનો હક્ક તેમને બિલકુલ નથી.”

    very true, I agree!
    and on Vinaybhai’s blog I wrote,not about linguists who are with unjha, but ppl don’t know true gujarati and so they are accepting unjha is very dangerous . we should first try to learn true gujarati.

  7. વિવેક ટેલર on June 19, 2009 at 12:15 PM

    મને તો હતું કે ઊંઝા સમર્થકો જેમ બીજા મિત્રો પર સાગમટે તૂટી પડે છે એ બધા અહીં પણ તૂટી પડશે, પણ એવું કંઈ થયું નથી… લાગે છે કે એ લોકો ‘નબળો માટી બૈરી પર શૂરો’ અને ‘નીચી બોરડી સહુ ઝૂડે’ના ન્યાયે જ સાર્થસમર્થકો પર પોતાનો પ્રભાવ પાડવા મથતા હશે.

    “સૌરભ શાહ”ની સામે પડવાની કોઈએ હિંમત કરી લાગતી નથી!! એકાદ જણે કરી છે એપણ બુરખામાં રહીને…

    આદરણીય સૌરભભાઈ, એક જાહેરખબરની ‘કેચ-લાઇન’ યાદ આવે છે: ‘સિર્ફ નામ હી કાફી હૈ’!

  8. kankshit munshi on June 19, 2009 at 12:48 PM

    Well, i have been witnessing this debate over a period of time now..

    Saurabh bhai, you are a known name, and a person of knowledge and repute,

    Kindly guide as to why do we need to bifurcate between two methods of representation of our mother tongue?

    Why every now and then do we need to enter into a controversy of either humiliation one form or signifying the other?

    I personally feel that people with the stature of yours, and several other enthusiasts can on their own enlighten the purest form of Gujarati..

    Incidentally, i just started reading Kanhaiyalal Munshi as well as `Shayda ‘Saheb, found that gujarati in their books quiet a bit different than the one being preached across sources today, don’t know what has made the language change, or is it slowly and gradually the purity is diluting? or is it modernizing…

    Any ways I am still an infant to enter into such a debate, but with the infant’s curiosity I still look on to elders with what they portray within and display publicly…

    Looking forward for more creative stuff from the entire web fraternity …

    regards,

    kankshit

    • સૌરભ શાહ on June 19, 2009 at 1:21 PM

      Kanksit,

      I appreciate your concern for pure Gujarati.

      Time and again I have been writing about it. Not only Unjha, which is a minor irritant but with Unjhavadi’s attitude it becomes a major nuisance, but also on so many other important aspects concerning Gujarati language- it’s script, it’s literature and the readers’ of Gujarati.

      I shall be frequently commenting on these and many more aspects of this beautiful and vast world around us on the blog of my web site. Stay tuned.

      Once again, I thank you for sharing your concern with me and the EF.

      Love.

      -Saurabh Shah

      p.s.: As I understand you are not an Unjhavadi. The spelling of દિગ્ગજ reads wrongly as દીગ્ગજ on your blog. It must be a typo since ભગવતીકુમાર શર્મા, our one of the most respected and reputed poet with whom I had an opportunity to work with during my `Gujarat- Mitra’ days in 1985-86, is misspelt as ભગ્વતી… on your blog which you should correct immediately since you care for the purity of our language.

      • kankshit on June 19, 2009 at 8:08 PM

        So sorry,

        Shall rectify the error ASAP..

        As I tell to all the stalwarts of Gujarati; I am still a learner, kindly feel free to point out mistakes and help me develop my skills..

        Looking forward for further suggestions, recommendations and tougher scrutiny of my work..

        Regards,

        kankshit

  9. Niraj on June 19, 2009 at 2:45 PM

    સૌરભભાઈ સચોટ લેખ લખ્યો છે. વાંધો ઊંઝા જોડણી કરતા ઊંઝાવાદીઓનાં અભિગમનો છે. એક અનુભવ મને પણ થયો છે. ક્યારેક ઊંઝાનો વંટોળ બ્લોગજગતમાં ફેલાવવા માગતા ઊંઝાવાદીઓએ મને બ્લોગને ઊંઝામાં લખવા માટે કહેલું. એવું નથી કે હું બધી જોડણી સાચી જ કરું છું. ઘણી ભૂલો હશે જ પરંતુ એનો મતલબ એ નથી કે સાચી જોડણી શીખવાની મેહનત કર્યા વગર જ ઊંઝામાં લખવું. વિવેકભાઈ એ કહ્યું તેમ અગાઉ કોઈ પણ બ્લોગ પર આ ચર્ચા શરૂ થતા જ ઊંઝા સમર્થકો દોડ્યા આવે છે. ‘સિર્ફ નામ હી કાફી હૈ’! ખરેખર જ સાચું લાગે છે.

  10. Dr.Maulik Shah on June 19, 2009 at 2:51 PM

    વેલ આ સાહિત્યીક વિષય હોઈ ખાસ ટપ્પી ન પડી પણ લેખન નુ પેશન અનુભવેી શકાય છે.
    સૌરભભાઈ ખૂબ સારુ લખી શકે છે અને તેમની વિચાર્-વાણી-ચિંતનં- લેખન વિશે કદાચ કોઈ ગુજરાતીને શંકા ન હોય શકે.વાચકોનું નાડી નિદાન કદાચ તેમનાથી વધુ સારુ કોઈ નહી કરતુ હોય પણ તેમની પોસ્ટ વાંચતા મને તેમના ઈ ટીવી કાર્યક્રમ ‘સંવાદ’નુ સૌરભભાઇ નુ મને ગમતુ વાક્ય યાદ આવે છે – ” થોડો વાદ – થોડો વિવાદ – અને ખૂબ બધો હૂંફાળૉ સંવાદ્! ”
    નેટ જગતમાં આવા ઘણા ચર્ચાના વિષયો હાજર જ છે. – લગે રહો …
    અભિનંદન …

  11. અલકેશ પટેલ on June 19, 2009 at 7:13 PM

    સૌરભભાઈ,

    ઊંઝાવાળાઓને ઝાટક્યા તે બરાબર છે. એમને વળી જોડણીવાળા પણ શેના કહેવાય, એ લોકો તો ભાષાની ઘોર ખોદવા બેઠા છે. એની વે, પણ મને એવું લાગે છે કે ઊંઝા જોડણીના નામે જે તાલિબાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેની સામે તમારા જેવાના નેતૃત્વન નીચે આપણે સૌએ આક્રમક બનવું જ પડશે. હું આવું કહું છું તેનું કારણ એ છે કે હમણાં મને એક આવા જ ઊંઝાસમર્થક મળ્યા હતા. વાતવાતમાં જાણવા મળ્યું કે તેઓ માત્ર સમર્થક જ નહિ પ્રસારક છે અને આ લોકોનો ઈરાદો ભાષાના દરેક માધ્યમમાં તેમની ખોટી ભાષારૂપી કેન્સરના કીડા ઘૂસાડી દેવાનો છે. આ બાબતે સમયવર્તે સાવધાન થવા જેવું ખરું.

  12. kirankumar chauhan on June 20, 2009 at 6:50 PM

    જો યોગ્ય રીતે શબ્દનું ઉચ્ચારણ કરાય, શબ્દકોશ હાથવગો રખાય, સાચી જોડણી લખવાની સજાગતા કેળવાય. તો સાચી જોડણી જરાય અઘરી નથી. જોડણીના નિયમો એટલા મુશ્કેલ પણ નથી કે વિદ્યાર્થીઓ કે અન્ય મિત્રોને શીખવી ન શકાય. આપણી ભાષાની સુંદરતા જાળવવા માટે સાચી જોડણી અનિવાર્ય છે. કોઇ ટૂંકો માર્ગ અપનાવવા કરતા થોડી મહેનત કરીશું તો આપણી ભાષાની તાજગી, ગરિમા,સૌંદર્ય અને વૈવિધ્ય જળવાઇ રહેશે.

  13. દક્ષેશ on June 20, 2009 at 11:20 PM

    નિશાનચૂક માફ, ન માફ નીચું નિશાન…. ગુજરાતી ભાષા લખતાં ભૂલો થતી હોય એનો અર્થ એ નથી કે ભૂલોવાળા લેખનને ભાષા બનાવી દેવાય. આજકાલ ટેકનોલોજી આગળ વધી છે તો એવી સગવડ પણ આવશે કે ભૂલ થતી હોય તો સાચી જોડણી સૂચવે અથવા આપોઆપ સુધારે (ઓટો કરેક્ટ). એટલે સાચી જોડણી કેવી રીતે બધા વાપરે એના ઉપર ભાર મૂકવાની જરૂર છે, નહીં કે જોડણી બદલવાની.

  14. gopal h parekh on June 21, 2009 at 8:32 AM

    લગે રહો સૌરભ ભાઇ, અમે તમારી સાથે છીએ.

  15. Satish Patel on June 22, 2009 at 11:36 AM

    આ ઊંઝાવાળા નાદાન મિત્રો કેમ અંગ્રેજી ભાષાને બદલતા નથી? એ ભાષામાં પણ engineer જેવા શબ્દો આવે છે, જેમાં i અને ee અલગ અલગ સ્વરો આવે જ છે. હવે આ મિત્રોએ enginir લખવું જોઇએ કે engineer, એ નિર્ણય પહેલાં લઇ પછી જ આગળ વધવું જોઇએ એમ મારું માનવું છે.

  16. डॉ. निशीथ ध्रुव on June 25, 2009 at 7:51 PM

    સૌરભભાઈ,
    માનનીય યશવન્તભાઈના કહેવા મુજબ જ નિષ્ણાતો ઊંઝામાં મળ્યા હતા જેમાં શ્રી જયન્ત કોઠારી, ઊર્મિબેન દેસાઈ, યોગેન્દ્ર વ્યાસ, દયાશંકર જોશી, અરવિન્દ ભાણ્ડારી જેવા ભાષાશાસ્ત્રીઓ ઉપસ્થિત હતાં. અને એમાં ચર્ચા-વિચારણા પછી જ એક ઈ-ઉ અંગેનો નિર્ણય લેવાયો હતો. જ્યાં સુધી એ નિર્ણય સરકારી સ્તરે અધિકૃત માન્યતા ન પામે ત્યાં સુધી તો શાળામાં કે અધિકૃત સ્થાનોએ એક ઈ-ઉ ન જ વપરાય અને એવો કદાગ્રહ કોઈએ કર્યો પણ નથી, કરી શકાય પણ નહિ. પણ જોડણી-પરિવર્તન માટે એક વ્યાપક ભૂમિકા એણે જરૂર પૂરી પાડી છે. ઊંઝા નિર્ણયને માનનારા અને ન માનનારા વચ્ચે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તે તો અનિષ્ટ જ છે. ઊંઝા જોડણીમાં માનનારાઓ શું માતૃભાષાને પ્રેમ નથી કરતા? આક્રમક વાક્પ્રહારોને બદલે તાર્કિક અને તાત્ત્વિક ચર્ચાઓ થાય તો રૂડું થાય.
    તમે પૂછાવ્યું એવી ખોટી જોડણી કરી છે (ટાઇપિંગ-દોષ જ હશે) જે પુછાવ્યું એમ હોવી જોઈએ – તે સહેજ.

    • સૌરભ શાહ on June 25, 2009 at 8:44 PM

      નિશીથભાઈ,
      મારી જોડ્ણી ખોટી હોય ત્યારે હું એનો બચાવ નથી કરતો. ખોટી જોડ્ણી કોઈ પણ કરે એનો બચાવ ના હોય.
      પણ આ ઊંઝાવાળા ખોટી જોડણીને સાચી ઠેરવવા નીકળ્યા છે.

      જેમ બનાવટી ચલણી નોટો છાપનારા દ્લીલ કરે કે દેશમાંથી ગરીબી દૂર કરવા અમે નોટો છાપીએ છીએ એમ ઊંઝાવાળા ખોટી જોડ્ણીથી ગુજરાતી ભાષાને બચાવવા નીકળી પડ્યા છે. જે દિવસે રિઝર્વ બૅન્કના ગવર્નર બનાવટી ચલણી નોટોના ધંધાવાળા સાથે ભાગીદારી કરશે ત્યારે હું પણ તમારી અને બીજા ઊંઝાવાદીઓ સાથે હાથ મિલાવીશ.

      રહી વાત ભાષા નિષ્ણાતોની હાજરીને વટાવી ખાવાની.તમે ઊંઝાવાળાઓ કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખો છો એ તો મેં લખ્યું જ છે. હજુ સંતોષ નથી થયો? ભાષા વિદુષી ડૉ. ઊર્મિબહેન દેસાઈનું નામ વટાવી ખાવા આવ્યા છો?

      Now I quote Dr. Urmiben Desai for your kind information, Dr. Nishithbhai:

      “ગુજરાતી ભાષાની જોડણીમાં સુધારા કરવા માટે આજકાલ ઘણો ઊહાપોહ થાય છે અને મુંબઈ તથા ગુજરાતનાં અનેક શહેરો-કસબાઓમાં આ માટેની સમિતિઓ પણ નિમાઈ છે.જાણવા પ્રમાણે આ બધી સમિતિઓની પાયાની ધારણાઓમાં એક મુખ્ય ધારણા એ છે કે ગુજરાતી ભાષાના ઉચ્ચારણમાં હ્રસ્વ અને દીર્ઘ એવા સ્વરના ભેદો અસ્તિત્વ ધરાવતા નથી માટે તેને જોડણીમાં રાખવા નહીં, પ રં તુ ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો આ ધારણા ધ ર મૂ ળ થી ખોટી છે.”

      આ શબ્દો ડૉ. ઊર્મિબહેન દેસાઈના છે.
      ઊંઝાની છેતરપિંડી નહીં તો બીજૂં શું, ડૉ. નિશીથભાઈ!

  17. डॉ निशीथ ध्रुव on June 25, 2009 at 10:52 PM

    સૌરભભાઈ, ઊંઝા ઠરાવ વખતે હું ત્યાં ઉપસ્થિત હતો અને ઊર્મિબહેને એ ઠરાવનો સ્વીકાર કર્યો જ હતો. એમણે લખેલાં વ્યાકરણ વિષયક પુસ્તકોમાં પણ આ વાત કહી છે. તમે એમની જે વાતનો ઉલ્લેખ કર્યો છે તે તો ઉચ્ચારણના સમ્બન્ધે છે. એક ઈ-ઉને સમર્થન આપનારા ઘણા લોકોમાં એ ગેરસમજ પ્રવર્તે છે કે ઊંઝા જોડણીમાં દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ માન્ય કર્યાં છે કારણ કે આપણે એમ ઉચ્ચારીએ છીએ. એ ગેરસમજ દૂર કરવા ઊર્મિબહેને આ વાત કરી છે. ઉચ્ચારણમાં તો હ્રસ્વ અને દીર્ઘ બન્ને રૂપો છે જ – પણ ધ્વનિઘટકને લેખે કેવળ એક જ ઈ અને ઉ છે. ક્યાં હ્રસ્વ આવે ને ક્યાં દીર્ઘ એનું ચોક્કસ નિયમન ઉચ્ચારણમાં તારવી શકાતું ન હોવાથી જોડણીમાં એક જ રૂપ હોય તે ભાષાશાસ્ત્રને સુસંગત છે. તમે ઊર્મિબહેન જોડે વ્યક્તિગત ચર્ચા કરશો તો વધુ પ્રકાશ પડશે. પણ એમાં કોઈ છેતરપિંડી તો નથી જ – એમનું નામ વટાવી નાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. વળી બન્ને રૂપો ચાલુ રાખવાં જ હોય તો એમાં કોઈક વધુ તાર્કિક એવી વ્યવસ્થા પણ આવકાર્ય છે. કંઈ જ બદલવું નહિ અને બધે જ એક ઈ-ઉ રાખવાં એ બે અન્તિમ છેડા વચ્ચેના એક સમાધાનકારી ભૂમિકા મેં સૂચવી હતી કે તત્સમ શબ્દોમાં બન્ને રૂપો યથાવત્ રાખવાં અને અન્યત્ર એક જ ઈ-ઉ કરવાં જેથી અન્ય ભારતીય ભાષાની જોડણી જોડેનું સામ્ય પણ જળવાય અને અત્યારની જટિલતામાંથી પણ થોડીક યથાર્થતા આવે.

    • સૌરભ શાહ on June 25, 2009 at 11:34 PM

      ૧૦૦ રૂપિયાની સરકારી નોટ સાથે અમે છાપેલી ૫૦ની નોટ્નું ‘સહઅસ્તિત્ત્વ’ હોય તો કોઈને શો વાંધો હોય એવી અંડરવર્લ્ડ્ના પ્રવકતા જેવી દ્લીલો ક્યાં સુધી કર્યા કરશો? ‘તાર્કિક્”સમાધાનકારી ભૂમિકા’ જેવા શબ્દોનો ફરેબી ઉપયોગ અહીં માત્ર બીજા ભોળાઓને ગેરમાર્ગે જ થાય છે.આ છળ વિશે અને ભાષા પર આખો નહીં તો અડધો બળાત્કાર કરવાની છૂટ માગનારાઓ વિશે વધુ શાસ્ત્રીય અને વિગતે ચર્ચા મારા લેખોમાં થતી રહી છે અને રહેશે.

  18. Biren on June 26, 2009 at 12:05 AM

    Well done Saurabhbhai.

    Unjha supporters, better you stay away from this blog.

  19. डॉ. निशीथ ध्रुव on June 26, 2009 at 2:42 PM

    મેં કશી દલીલો કરી નથી, ઊર્મિબહેનના કથયિતવ્ય વિષે કેવળ સ્પષ્ટતા કરી છે. મારા ખ્યાલથી સમાધાનકારી ભૂમિકા વિશે કદાચ હું સ્પષ્ટતા કરી શક્યો નથી. મારું સૂચન તો એક ઈ-ઉનો સ્વીકાર થયો એની પૂર્વે ચાલેલી ચર્ચા દરમ્યાન કરવામાં આવેલું. આમાં કોઈ ફરેબની વાત નહોતી અને સહઅસ્તિત્વની(અસ્તિત્ત્વ ખોટી જોડણી છે તે સહેજ) પણ નહિ. અધિકૃત સ્થાને તો સાર્થ કોશની જોડણી જ ચાલે છે. અને હા, તમારા બ્લૉગ પર મારી કમેન્ટ્સ તમારા વાચકોને ખટકતી હોય તો નિઃસંકોચ જણાવશો. મને મૂક મુલાકાતી રહેવામાં કશોય વાંધો નથી. હું ઊંઝા જોડણીનો સમર્થક જરૂર છું પણ સાર્થ જોડણી મુજબ ન જ લખવું એવો કોઈ કદાગ્રહ રાખતો નથી. ઊલટું, તમારા જેવા બ્લૉગ્સ ઉપર એ મુજબ જ લખું છું. એટલે અન્ડરવર્લ્ડના પ્રવક્તા જેવી વાતો કરવાનો કે કોઈ છળ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. વિનયપૂર્વક અને શિષ્ટ બાનીમાં લખાયેલ કમેન્ટ્સ પર આવા આક્ષેપો ન થાય તે તમારી ગરિમાને જ સુસંગત થશે એમ માનું છું એટલે આ લખ્યું.

  20. અલકેશ પટેલ on June 26, 2009 at 6:27 PM

    નિશીથભાઈ, ખોટું કરનાર દરેક એમ જ માનતા હોય છે કે પોતે સાચા છે. એમ તો હિંસા આચરતા માઓવાદીઓ કે આતંકવાદીઓ કે પછી ચોરી કે લૂંટફાટ કરનારા પણ ક્યાં કદી સ્વીકારે છે કે પોતે કશું ખોટું કરે છે અથવા તો તેમના એ કૃત્યો સમાજવિરોધી છે!? આપણી જે ભાષા વર્ષોથી સ્વીકારાઈ છે, ટોચના ભાષાશાસ્ત્રીઓ અને શ્રેષ્ઠ સાહિત્યકારો એ સાચી ભાષાનો ઉપયોગ કરતા રહ્યા છે, ગુજરાતી ભાષામાં લાખોની સંખ્યામાં પુસ્તકો પણ આ જ પ્રમાણે છે ત્યારે ભાષાના નામે સમાજને અવળા માર્ગે લઈ જવાના પ્રયાસો ઊંઝાવાદીઓએ મહેરબાની કરીને બંધ કરવા જોઈએ. તમે આક્રમક વાકપ્રહારોની વાત કરી છે, પરંતુ મને લાગે છે કે ખોટું કરનાર દરેકને આ રીતે જ જવાબ આપવો જોઈએ, નહિ તો સમય જતાં જે ખોટું ચાલવા દેવામાં આવ્યું હોય તે સાચું બની જવાનો ભયંકર ખતરો રહેલો હોય છે, તમે કદાચ ગોબેલ્સનું નામ સાંભળ્યું જ હશે, સર.

  21. અલકેશ પટેલ on June 26, 2009 at 6:29 PM

    અલબત્ત, અહીં સ્પષ્ટતા કરી લઉં કે ઊંઝાવાળા મિત્રોને કોઈ હિંસક કે ગુનેગારો સાથે સરખાવ્યા નથી, પરંતુ માત્ર ઉદાહરણ આપ્યું છે, માટે અધકચરા પત્રકારોની જેમ અધકચરા શબ્દો ઉપાડીને દુઃખી ના થશો અને આક્રોશ ના ઠાલવશો.

  22. Kanubhai Suchak on November 28, 2009 at 12:59 PM

    સૉરભભાઈ,
    તમારી તેજાબી કલમથી નીકળેલ શબ્દને ગેરસમજના પ્રતિભાવ મળે તે મને સહજ લાગે છે. ક્રોધ પરિહરિ માત્ર બૉધ્ધિક અને તાત્વિક વિચારણા થાય તો ઉત્તમ. સાર્થ જોડણીકોષ સમય સારણીની કસોટીમાથી ખરો ઉતર્યો છે. ઊઝાને આગળ કરવા માગતા મિત્રોનો આગ્રહ બિનજરુરી ભાષાવાદનુ તૂત છે ઍવુ આપણે મિત્રો માનીએ તો પણ ચર્ચામા અશિષ્ટતા ન પ્રવેશવી જોઇએ.

  23. nilam doshi on April 11, 2010 at 8:40 PM

    થોડૉ વાદ, થોડો વિવાદ ભલે થાય..પરન્તુ એ પછી હૂંફાળો સંવાદ અનિવાર્ય…
    બાકી આપનું નામ કાફી છે..
    આભાર અને અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME